SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અનામીનો આનંદ જર્મનીના મહાન સમાજસેવક ઑબરલીન એક વાર એમની મુસાફરી દરમિયાન ભયાવહ તોફાનમાં સપડાઈ ગયા. તીવ્ર આંધી અને તોફાની બરફવર્ષાને કારણે હેરાન-પરેશાન થઈ ગયા. સહાય માટે જોરજોરથી બૂમો પાડતા હતા, પણ જ્યાં સહુને પોતાનો પ્રાણ બચાવવાની ફિકર હોય, ત્યાં એમની બૂમો કોણ સાંભળે ? બરલીન બેભાન થઈ ગયા અને થોડા સમય બાદ સ્ટેજ ભાનમાં આવ્યા ત્યારે જોયું તો એક ગરીબ ખેડૂત એમની સેવાશુશ્રુષા કરતો હતો. બલીનને એ જીવનદાતા તારણહાર લાગ્યો. એમણે પ્રસન્ન થઈને એ ખેડૂતને કહ્યું, ‘તારી સેવાના બદલામાં તને ઇનામ આપીશ. કહે, તારું નામ શું છે અને ક્યાં રહે છે ?” ઑબરલીનનો સવાલ સાંભળીને ખેડૂત ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ‘બાઇબલમાં ક્યાંય કોઈ પરોપકારીનું નામ લખ્યું છે ખરું ? નથી લખ્યું. તો તમે મને પણ અનામી રહેવા દો. તમે પણ નિઃસ્વાર્થ સેવામાં માનો છો, તો પછી મને ઇનામનું પ્રલોભન શા માટે આપો છો ? સેવાની ભાવના તો પોતાના અંતરમાંથી જાગે છે, પુરસ્કારની આશાથી નહીં. માટે મને ક્ષમા કરશો. હું આપને મારી ઓળખ નહીં આપું.' બરલીન ખેડૂતની વાત સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે આ ખેડૂતે એમને કેવો સચોટ બોધ આપ્યો. એમને સમજાયું કે સાચી સેવા નિઃસ્વાર્થ હોવી જરૂરી છે. પોતે ખેડૂતને ઇનામ તી આપવાની વાત કરી, તેનો ભારોભાર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, | ‘જો તમારા જેવી વ્યક્તિ સર્વત્ર હોય, તો આ દુનિયામાં ચોતરફ ખુશાલી અને મંત્ર માનવતાનો. પ્રસન્નતા છવાયેલી રહે.’ 118 હ
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy