SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ લહેરી યુવાને કહ્યું, “શા માટે બંધ કરું ?” ચર્ચિલે જવાબ આપ્યો, “મને સિસોટીનો અવાજ પસંદ નથી. કેવો કર્કશ અવાજ છે !” લહેરી યુવાન મસ્તીથી બોલ્યો, “તો તમે તમારા કાન બંધ કરી દો ને ! શું તમે તમારા કાન બંધ નથી કરી શકતા ?” આ સાંભળીને ચર્ચિલને ગુસ્સો આવ્યો. પોતાના વિભાગની કચેરીમાં ગયા. મનમાં ફરી પેલા યુવાનના શબ્દો યાદ આવ્યા : ‘તમે તમારા કાન તો બંધ કરી શકો છો ને !' અને મહામુત્સદી ચર્ચિલ ખડખડાટ હસી પડ્યા. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર જોન રસ્કિને પોતાને હીરાની વારસામાં મળેલી મિલકતનો મોટા ભાગનો હિસ્સો ગરીબો અને જરૂરતમંદોને વહેંચી ખાણ દીધો હતો. રસ્કિને ‘અન ટુ ધીસ લાસ્ટ' (૧૮૬૦) નામનું પુસ્તક લખ્યું, જેનો મહાત્મા ગાંધીજીએ ‘સર્વોદય’ને નામે ભાવાનુવાદ કર્યો અને એ પુસ્તકની ગાંધીજીની વિચારધારા પર પ્રબળ અસર થઈ હતી. એક વાર જોન રસ્કિન પોતાના મિત્ર સાથે લંડનની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આસપાસ ગરીબોના ઝૂંપડાં અને નાનાં નાનાં કાચાં મકાનો હતાં. રસ્તો કાદવ અને કીચડથી ભરેલો હતો. રસ્કિનનો મિત્ર વારંવાર રૂમાલથી મોં દાબીને કહેતો હતો કે “આ કાદવ-કીચડ તો જો ! કેવી દુર્ગંધ આવે છે! હાય, તોબા !' જૉન રસ્કિન તો નિરાંતે આ માર્ગ પર ચાલતો હતો. એના પરેશાન મિત્રએ એને કહ્યું, “ચાલ, કોઈ બીજા સારા રસ્તા પર જઈએ.” ત્યારે રસ્કિને હસીને કહ્યું, “અરે દોસ્ત ! આનાથી વધુ સારો રસ્તો બીજો કયો હશે ? આ તો અત્યંત કીમતી માર્ગ છે. મનની મિરાત ૧૫૯ જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, એલિનહાઉમ, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, ઓક્સફર્ડ ગ્રાઈહાઇડ પાર્ક, લંડન, ઇંગ્લૅન્ડ ૧૫૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy