SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ ક્યાં હોય ? વિદ્યાર્થીજીએ કહ્યું, “મને ઘસડો નહીં, હું નાસી જવાનો નથી. મારું મોત તમારા વેરની પ્યાસ બુઝાવતું હોય તો હું તૈયાર છું.” ટોળું બેફામ હતું. હિંદુ સ્વયંસેવકોએ કમ્મર કરી. એક સ્વયંસેવકે વિદ્યાર્થીજીને આડે પોતાના દેહની દીવાલ ધરી. એક ક્ષણમાં એ કતલ થયો. વિદ્યાર્થીજીનું પણ એ કોમી વેદી પર બલિદાન અપાઈ ગયું. ઈ. સ. ૧૯૩૧ની ૨૪મી માર્ચનો એ ગોઝારો દિવસ. એ દિવસે ભાગ્યે જ કોઈ એવી આંખો હશે કે જેણે આંસુ સાર્યા નહીં હોય. કોમી એકતા ખાતર પોતાના દેહનું એ જ રીતે બલિદાન આપનારા મહાત્મા ગાંધીજીએ ગણેશશંકર વિદ્યાર્થીજીની શહાદતને એ સમયે અંજલિ આપતાં કહ્યું, ‘ગણેશ શંકરનું મૃત્યુ એવું થયું છે કે એ ઈર્ષાનો વિષય બન્યું છે. એમનું બલિદાન બંને કોમોને જોડવા માટે સિમેંટનું કામ કરશે. એમણે વીરતાનું કામ કર્યું છે.' મરજીવો પે ૨
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy