SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં આવી છે. ચાલવાના શ્રમથી જુઓ ને, એના પગ સુઝીને થાંભલા જેવા થઈ ગયા છે ! આપ તેઓને ભિખુણી બનવાનો અધિકાર આપતા નથી, તેથી તેમને દુ:ખ થાય છે. આપ અનુજ્ઞા આપો એમ એ ઇચ્છે છે. સ્ત્રીઓને શા માટે પાછી પાડો છો ?' બુદ્ધ શાંતિથી બોલ્યા : ‘આનંદ ! આ ભાંજગડમાં પડવા જેવું નથી. વૈશાલી ને મગધ સળગ્યાં છે. કોસલ ને શાક્ય પ્રદેશ સળગ્યાં છે. અજાતશત્રુએ બાપને માર્યો છે ! વિડુડભે બાપને રસ્તાનો ભિખારી બનાવ્યો છે ! ચારે કોર અશાંતિની આગ પ્રસરી ગઈ છે !' આનંદે બે હાથ જોડતાં કહ્યું, ‘પ્રભુ ! એ આગને ઠારવામાં સ્ત્રીઓ વધુ ઉપયોગી થશે. સ્ત્રીઓને સળગાવતાં ને બુઝાવતાં બંને આવડે છે. આપ એ કહો કે ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીને થવો શક્ય છે કે નહિ ?” ‘પુરુષોની જેમ સ્ત્રી માટે પણ એ જરૂર શક્ય છે.’ જવાબ ટૂંકો છતાં સચોટ હતો. ‘તો આપ તેઓને ભિખુણી બનવાની આજ્ઞા આપો.” આપું છું.” ભગવાન બુદ્ધે કહ્યું, ને આગળ બોલ્યા, ‘યુદ્ધની આગ ફરીથી પ્રજ્વલિત થઈ છે. ભિખુણીસંઘ એ માટે કંઈક જરૂર કરે. ખેમા સાધ્વી એ સંઘની અગ્રણી બને. હું અત્યારે કોસલ દેશ તરફ જાઉં છું.” લોકગુરુના આ શબ્દોથી બધે આનંદ આનંદ પ્રસરી રહ્યો. આમ્રપાલીએ કહ્યું : “મને પણ ઉપસંપદા આપો.’ ‘કલ્યાણ હો !' તથાગત બોલ્યા, ને અનુમતિ આપી. આપનો સિદ્ધાંત ટૂંકામાં સમજાવો.” ભિખુણી સંઘે મંગલપ્રવચન કરવા વિનતી કરી. ‘હે ભિખૂઓ, હે ભિખુણીઓ ! કામોપભોગમાં સુખ માનવું એ એક સિદ્ધાંત છે; દેહદમન કરવું એ બીજો સિદ્ધાંત છે. આ બંને સિદ્ધાંતો દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે. તપસ્વીઓએ આ બંને સિદ્ધાંતોનું સેવન કરવું નહિ. હું બંનેની વચ્ચેનો માર્ગ કહું છું : શરીરને ન બહુ દુ:ખ દેવું કે ન બહુ સુખ દેવું અને મધ્યમ માર્ગ સ્વીકારવો : એનું નામ ધર્મ !' ‘હૈ તથાગત ! અમે મધ્યમ માર્ગ સ્વીકારીએ છીએ.” બધી સ્ત્રીઓએ કહ્યું. તો તમારું કલ્યાણ થશે. તમે ઘેરી કહેવાશ. થેરી સંઘની વડી ખેમા સાધ્વી થશે. થેરી થઈને જગતને સુખ-દુઃખમાં સ્થિર કરજો. હિંસા ફાટી નીકળી હોય તેમ લાગે છે. બુઝાતો દીપક દ્વિગુણ ભભૂકે, એમ હિંસા બેવડા જોરથી ભભૂકી ઊઠી છે ! પણ ઘનઘોર રાત પછી જ તેજે ઓપતું પ્રભાત પ્રગટે છે, એમ હવે જ અહિંસાની 320 | શત્રુ કે અજાતશત્રુ પ્રતિષ્ઠા થશે. મને એનો ભરોસો છે. હું કોસલ દેશમાં જાઉં છું. આર્ય સત્ય અને આર્ય માર્ગનું અવલંબન કદી લેશ પણ ન છાંડજો.” તથાગત આટલું બોલી રહ્યા ત્યાં કચ પોતાના ઘોડેસવારો સાથે આવી પહોંચ્યો. એણે કહ્યું : ‘તથાગત, ઊભા રહો.' “કોણ, કચ ? અરે, તથાગત તો હંમેશાં ઊભા જ છે, તમે રાજકારણી લોકો સૂતા છો !' લોકગુરુએ કહ્યું. એક વાર આવો જ જવાબ તેમણે લૂંટારા અંગુલિમાલને આપ્યો હતો. ‘અજાતશત્રુ આંગણે આવીને ખડો છે, ને અમે સુતા છીએ ? આ આપ શું કહો છો ? જોકે એક રીતે આપ કહો છો તે સાચું છે. જો અમે સૂતા ન હોત તો આમ્રપાલી જેવી ગણિકાઓ વૈશાલીના શત્રુઓને પોતાને ત્યાં આશરો ન આપત ! કૃપા કરીને આપ એને ઉપસંપદા-દીક્ષા ન આપશો.' ‘કેમ ?” તથાગત પ્રશ્ન કર્યો. ‘આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં છો ! એવા અધર્મીઓથી બુદ્ધનો પવિત્ર ધર્મ વગોવાશે.” ધર્મ અધર્મીઓ માટે જ છે. મેલાં લૂગડાં માટે જ સ્વચ્છ જળની જરૂર હોય છે.” તથાગત બોલ્યા. ‘આ મેલાં કપડાં બીજાં કપડાંને અને આ મેલાં જળ બીજાં જળને મેલાં કરશે. હું આમ્રપાલીને પકડવા આવ્યો છું.' કચે સત્તાવાહી સ્વરે કહ્યું. આમ્રપાલી કંઈ ન બોલી, એ દીક્ષાની શિબિરમાં ચાલી ગઈ, અને થોડી વારે પાછી આવી, જેની એક એક અલકલટ પર હજાર જાન કુરબાન થતી, એ તમામ કેશકલાપનું એણે ઉચ્છેદન કરી નાખ્યું હતું. સાધ્વીને શોભતું એક વસ્ત્ર એણે દેહ પર ધારણ કર્યું હતું. અલબત્ત એથી એની મધુરતા અલ્પ થઈ નહોતી. ‘સર્વસ્વીકૃત એક નિયમ છે : તપસ્વીઓને કોઈ સામ્રાજ્ય કદી સ્પર્શી શકતું નથી.’ લોકગુરુએ દૃઢતાથી કહ્યું. ‘તપસ્વી ? કોણ તપસ્વી ? આમ્રપાલી તપસ્વી ? લોકગુરુ ! તપસ્વી તો ધનો અનગાર કહેવાય.’ કચે તિરસ્કારમાં કહ્યું. કોણ ધન્ના અનગાર ?” આનંદે પ્રશ્ન કર્યો. ‘ભગવાન મહાવીરનો ઉપાસક, તમે તો વચલો માર્ગ બતાવો છે, પણ એ તો કહે છે કે પતિત વૃત્તિઓને સર્વથા બાળવા આત્મદમન અને દેહદમન અનિવાર્ય છે. એ માટે છેક છેલ્લી કોટીનાં તપ, ધ્યાન ને અહિંસા સાધન છે.' કચ જાણે ફિલસૂફ બની ગયો હોય તેમ બોલ્યો. પ્રેમધર્મનું પ્રભાત 1 321
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy