SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 39 મોટાં બહેન ! તમે ભળાવેલો ભરથાર છે. એને બીજો મહેલ નથી, બીજી પત્ની નથી; જે છે તે હું છું ને જે છે તે એ છે !' રાજ્યશ્રીએ શરમાતાં નયનો નીચાં ઢાળીને કહ્યું, ‘એને તો પથ્થરનાં ઓશીકાં ભાવે છે.સત્યારાણીએ રાજ્યશ્રીને પ્રેમના દર્દમાંથી પાછી પાડવા કહ્યું. કેવાં મીઠાં એ ઓશીકાં, બહેન ! મારા તેમને તો હું મારું અંગનું ઓશીકું આપીશ, હું પથ્થરને ઓશીકે પોઢીશ !' ‘ઘેલી રાજ ! એ તો કહે છે કે એક દહાડો સંસારનો સાચો પ્રેમી થવા મારા સર્વસ્વનું દાન કરી દઈશ ! રાજ , પાટ, સુવર્ણ, રોણ, ઘરબાર, સર્વસ્વનું દાન' ‘બહેન ! ત્યારે આ તમારી નાની બહેન પ્રેમ-ભિખારણ તરીકે વધુ શોભી ઊઠશે; અને ત્યાગમાં પણ એ પાછી નહીં પડે. હીરા, માણેક ને મોતીને પરણનારી નારીઓનો તો સંસારમાં ક્યાં તોટો છે ? પથ્થર, ઘાસ ને ફકીરીને વરનારી તારી બહેન જેવી તો કોઈક જ હશે !' | ‘અતિ ઘેલછા વ્યાપી છે તને રાજ ! મને ભય લાગે છે. તારું ભલું હો, મારી બહેનડી.” સત્યારાણી રાજને સોડમાં લઈ રહ્યાં. પ્રેમપત્ર સંસારના કેટલાક સ્નેહસંબંધો અનિર્વચનીય હોય જ , સગાં મા-બાપને કે માનાં જયાં ભાઈ-બહેનને પણ એ કહી શકાતા નથી ! રાજ્યશ્રીનું એવું જ બન્યું. એ પોતાની વહાલયોસી બહેન સત્યારાણીને પણ કહી ન શકી કે એને અંતરમાં શું શું વીતે છે ? મનનો બપૈયો વ્યાકુળ થઈને પ્રેમના બાગમાં કેવો અટવાયા કરે છે ! એને ન મિલનમાં સુખ છે કે ન વિરહ સહ્યો જાય છે ! સ્નેહનો દેવતા સંસારમાં મસ્ત ને અલ્લડ માણસોને દુ:ખી કરવામાં જ માનતો હોય છે. ગમે તેવા ચિંતાના તાપથી ક્યારેય ન કરમાનાર રાજ્યશ્રી સ્નેહની ચિંતાથી ફિક્કી પડી ગઈ. ન સુખની નિંદ છે, ન દિલમાં જંપ છે ! અધૂરામાં પૂરું મહાભારત યુદ્ધના વાવડ આવ્યા. કૌરવ-પાંડવોની સેનાઓ સામસામી ગોઠવાઈ ગઈ છે; અને શ્રીકૃષ્ણ પોતે અર્જુનનું સારથિપદ કરવાના છે, એવા વર્તમાન મળ્યા. સ્નેહાળ સ્ત્રીઓ માટે લડાઈ જેવો દુર્ભાગિયો વખત બીજો નથી. પણ વાત સત્યારાણી ! એમણે શ્રીકૃષ્ણને ફૂલહાર પહેરાવ્યા, એમના પ્રયાણને શુભ શુકનોથી પોંખ્યું, અને જરૂર પડે પોતે પણ પડખે આવીને ઊભાં રહેશે એમ કહ્યું. સંહારમાં પણે સત્યારાણીનો કેવો અજબ રસ ! પણ મોટો પ્રશ્ન બલરામનો હતો. એમણે યુદ્ધ તરફ ધૃણા દાખવી હતી, અને પોતાનો વિરોધ પ્રગટ કરવા એ તીર્થયાત્રાએ સંચરતા હતા, એમને કેવી રીતે રોકવા? શ્રીકૃષ્ણ જેવા ચતુર મુત્સદી પણ આ બાબતમાં કંઈ માર્ગ કાઢી શક્યા નહિ. એમણે સત્યારાણીને વાત કરી. પણ બલરામને રોકવાનું ગજું એમનું પણ નહોતું. સત્યાદેવીએ આ મૂંઝવણ પોતાની નાની બહેન રાજ્યશ્રીને કહી. મોટી 296 1 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy