SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ આજ્ઞા (પરમ) - (અ) આજ્ઞા મેળવવાનો અને પાળવાનો ઉત્તમ ભાવ તથા પ્રયત્ન - (કોઈ પણ અવસ્થાએ) તે પરમ આજ્ઞાનું પાલન. (ભાગ – ૪) (બ) ઉત્કૃષ્ટતા મેળવવા માટે ગ્રહણ થતી પ્રભુની આજ્ઞા. આજ્ઞા (પરા) - કેવળીપર્યાયનું આજ્ઞાપાલન. આજ્ઞા (પરિનિર્વાણ) - સિદ્ધાવસ્થાનું આજ્ઞાપાલન. આજ્ઞા (પૂર્ણ) – માત્ર આત્મસુખની ઇચ્છાથી ગુરુ અને પ્રભુની આજ્ઞામાં રહેવું, તેમની ઇચ્છાએ વર્તવું. બીજી રીતે કહીએ તો, પૂર્ણ આશા એટલે જીવ વર્તમાનનાં શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે; અને મહદ્ અંશે કર્મની નિર્જરા કરે તે. આજ્ઞા (પૂર્ણાતિપૂર્ણ) - પૂર્ણાતિપૂર્ણ આશા એટલે જીવ ત્રણે કાળના શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે. આજ્ઞાની પૂર્ણતા – આજ્ઞામય સંવેગ, નિર્વે આસ્થા તથા અનુકંપાની ઉત્કૃષ્ટતા. આજ્ઞાકવચ - સદ્ગુરુ, સપુરુષ કે પંચપરમેષ્ટિ ભગવાન પ્રત્યે આજ્ઞાધીનપણાનાં ભાવ વેદવાથી તેમનાં કલ્યાણનાં પરમાણુઓનાં સ્કંધને જીવ ગ્રહણ કરે છે. તે સ્કંધો ગ્રહણ કરવાથી મળતાં બખ્તરસમાન રક્ષાકવચને આજ્ઞાકવચ કહેવાય છે, જે જીવને કર્મ ક્ષીણ કરવામાં મદદ કરે છે. આજ્ઞાકવચ, પ્રત્યક્ષ સદ્ગુરુ - જીવ જ્યારે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે છે અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તે સદ્ગુરુનાં કલ્યાણભાવનાં પરમાણુથી બનેલા સ્કંધોને ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવાત્માને સદ્ગુરુનાં કલ્યાણનાં પરમાણુઓથી બનેલા કવચનું બખ્તરનું) રક્ષણ મળે છે. આજ્ઞાકવચ, સર્વ સદ્ગુર - ક્ષાયિક સમકિત લેવાની પ્રક્રિયા વખતે જીવ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે ત્યારે તેમાં સદ્ગુરુને લગતાં પરમાણુઓ વધારે હોય છે. આથી તેનાં કર્મ પુદ્ગલનાં પરમાણુઓ ઉપર સર્વ સદ્ગુરુનું કવચ બને છે. પ્રત્યક્ષ સગુરુનાં કવચ કરતાં આ કવચ વિશેષ શક્તિશાળી તથા મજબૂત હોય છે. આજ્ઞાકવચ, સર્વ સત્પરુષ - છઠ્ઠી ગુણસ્થાનની પ્રાપ્તિ વખતે જીવ સપુરુષની આત્મદશાથી આગળ વધ્યા હોય તેવા પરમેષ્ટિ પદના ધારક મહાત્મા પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવને સર્વ સત્પરુષનું આજ્ઞા કવચ પ્રાપ્ત થાય છે. આજ્ઞાકવચ, પંચપરમેષ્ટિ - ક્ષપક શ્રેણિમાં સર્વ ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય કરવા માટે જીવ પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ ગ્રહણ કરે છે. એક |
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy