SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ સાધુસાધ્વીપણું - સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભર્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ કહી શકાય. ત્યાગી પ્રભુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવું. સેવા, ભાવથી - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું ત્યાગી પ્રભુ અથવા ગુરુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવાના ભાવ કરવા. ક્ષમાભાવ, અરૂપી - આત્મા વેદનથી આખા જગતનાં જીવો માટે ક્ષમાભાવ અનુભવે એ અરૂપી ક્ષમાભાવ છે. સિદ્ધકવચ - સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. સિદ્ધપણું – આત્માની પૂર્ણ શુદ્ધ, અડોલ, અકંપ દશા પ્રાપ્ત કરવી એને સિદ્ધદશા કહેલ છે. તે દશાએ સિધ્ધપણું છે. સેવા, પ્રભુની - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું જ્ઞાતાદ્રષ્ટા - અવિકલ્પભાવે જાણનાર તથા જોનાર. જાણ્યા જોયા પછી જીવમાં તેનાં પ્રત્યાઘાત ન પડે, આત્મપ્રદેશોની અકંપ સ્થિતિ અખંડ રહે, રાગદ્વેષથી પર રહે તે જ્ઞાતાદ્રષ્ટા કહેવાય. શુદ્ધ જ્ઞાતાદૃષ્ટાપણું તેરમાં ગુણસ્થાને હોય છે, અને તેની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. ૩૨૪
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy