SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી '000000000000000000+ પ્રત્યક્ષ સગુરુ કી ' ' . ' સી. આજ્ઞા કવચ દિf TE કોશિકી : 0900000000000000+ G+આત્મપ્રદેશ કમનાં પુદ્ગલ -પરમાણુઓ મિથ્યાત્વ ચારિત્રમોહ મિથ્યાત્વ અને ચારિત્રમોહ છૂટા પડે છે ત્યારે મિથ્યાત્વનાં દળિયામાં ક્યાંય જગ્યા રહી નથી હોતી, પણ ચારિત્રમોહનાં દળિયામાં જરા જરા જગ્યા રહી હોય છે. જીવ જ્યારે પ્રત્યક્ષ સગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા વધારે છે ત્યારે પંચપરમેષ્ટિ ભગવંતના સર્વ સદ્ગુરુના પરમાણુઓ તે ખેંચે છે. અને એ પરમાણુઓ ફોર્સથી – જોર કરી કર્મ પરમાણુઓની વચ્ચેથી પસાર થઈ દર્શનમોહ અને ચારિત્રમોહના થરમાં(જે આત્મપ્રદેશ અને અન્ય કર્મ પરમાણુની વચ્ચે આવેલો છે તેમાં) પ્રવેશ છે. દર્શનમોહનો ભાગ ખીચોખીચ હોય છે, એટલે એમાં તે પરમાણુઓ પ્રવેશી શકતાં નથી, પણ ચારિત્રમોહના વિભાગમાં જે થોડી થોડી જગ્યા થયેલી હોય છે તેમાં આ કલ્યાણનાં પરમાણુઓ પ્રવેશી જાય છે. તેથી તે પટ્ટામાં એક ભાગમાં ઘટ્ટ મિથ્યાત્વ, તેની બાજુના ભાગમાં ચારિત્રમોહ અને કલ્યાણના પરમાણુઓનું મિશ્રણ, તે પછી પાછો મિથ્યાત્વનો ઘટ્ટ ભાગ આવે, તે પછી પાછો મિશ્રણવાળો ભાગ આવે આમ મિથ્યાત્વ અને કલ્યાણનાં પરમાણુઓ સહિતનો ચારિત્રમોહ એવી રચના થાય છે. તે પછી કલ્યાણનાં પરમાણુરૂપ જે આજ્ઞારસ થાય છે તેમાં પણ ભેદ રચાય છે. સાધુસાધ્વીનો આજ્ઞારસ, ઉપાધ્યાયનો આજ્ઞારસ, આચાર્યનો આજ્ઞારસ, અરિહંતનો આજ્ઞારસ અને સિદ્ધનો આજ્ઞારસ એમ પાંચ ભેદ પડે છે. આજ્ઞારસ જ્યારે નીચલા થરમાં પ્રવેશે છે ત્યારે બધા રસ જુદા જુદા રહે છે. પરંતુ જ્યારે એ રસ ખેંચાવાની પ્રક્રિયા બંધ થાય છે, ત્યારે સાધુસાધ્વીનો આજ્ઞારસ જે જુદા જુદા ભાગમાં છે તે એક તરફ ખેંચાઈને એક પટ્ટો બનાવે છે. એવી જ રીતે ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને ૨૧
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy