SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ ક્ષાયિક સમકિત લીધા પછી જીવ સકામ મિથ્યાત્વ બાંધતો નથી, ક્ષાયિક સમકિત સાથેના છઠ્ઠા ગુણસ્થાને જીવ સકામ અવિરતિ નથી કરતો. ક્ષાયિક સમકિત સાથેના સાતમા ગુણસ્થાને જીવ સકામ પ્રમાદ સેવતો નથી અને ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાનના અંત ભાગ પછીથી જીવ સકામ કષાય વેદતો નથી. આ પ્રકારે વિચારતાં આપણને સમજાય છે કે આત્મા તેરમા ગુણસ્થાનના અંત સુધી (જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી) અકામપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય કરે છે. જો આ પ્રક્રિયા ન હોત તો, કેવળજ્ઞાન લીધા પછી કોઈ કાળે આત્મા યોગ સાથે જોડાત નહિ, અને સીધો સિદ્ધ થઈ જાત. આ અકામ અંતરાયની અશુભ પ્રકૃતિનાં કારણે જ આત્મા અવ્યાબાધ સુખસ્વરૂપ એવા સ્વભાવસુખથી ચુત થઈ, યોગ સાથે જોડાઈને સયોગી કેવળી બને છે. મિથ્યાત્વાદિ ચાર વિભાવરસની જે સકામ અને અકામ પ્રકૃતિ આપણે જોઈ, તેમાં આત્માના કેવા પ્રત્યાઘાતથી આ પ્રવૃતિઓ થાય છે તેનો વિચાર કરીએ. પ્રકૃતિ સકામ રસ અકામ રસ મિથ્યાત્વ સકામપણે દેહમમત્વનો તીવ્ર દેહયોગની અકામ આસક્તિ – | ભાવ, દેહાત્માનું જોરદાર એકપણું અકામ અમાનવતા - સકામ અમાનવતા અવિરતિ સદૈવ, સદ્ગુરુ તથા સદ્ધર્મ પ્રતિ સત્સંવાદિ પ્રત્યે અકામ અશ્રુતિ નિજ માનાર્થે સકામ અશ્રુતિ પ્રમાદ સત્સંવ, સગુરુ તથા સદ્ધર્મ પ્રતિ સત્સંવાદિ પ્રત્યે અકામ અશ્રદ્ધા સકામ અશ્રદ્ધા કષાય સદૈવ, સગુરુ, સદ્ધર્મ પ્રતિ સત્સંવાદિ પ્રત્યે અકામ પુરુષાર્થહીનતા સકામ પુરુષાર્થહીનતા આનો અભ્યાસ કરતાં સમજાય છે કે વિભાવરસની ઉત્પત્તિ સગુરુ, સદૈવ, અને સદ્ધર્મ પ્રતિ સકામ કે અકામ અભાવ તથા અવિનયથી થાય છે. આ ૧૯૪
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy