SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ થતાં પાપ તે અર્થદંડ. તે સિવાયના પાપ તે અનર્થદંડ. ચરમાવર્ત - જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે. ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાના યોગનો વિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. ગુપ્તિ ત્રણ છે: મનોગુપ્તિ(આર્ત-રૌદ્ર ધ્યાન થાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પણ કારણ વગર બોલવું નહિ), અને કાયગુપ્તિ(જરૂર વગર શરીર હલાવવું નહિ). ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ગૃહસ્થ - ગૃહ એટલે ઘર. ઘરમાં રહેનાર ગૃહસ્થ. ઘાતકર્મ – જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચારિત્રમોહ – આત્માને તેના સ્વરૂપાનુભવથી શ્રુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે. ચોથું અવિરતિ સમ્યક્રષ્ટિ ગુણસ્થાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન કહેવાય છે. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-ક નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને ચતુર્વિધ સંધ - શ્રી અરિહંત ભગવાન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે. ચરમ શરીર - છેલ્લું શરીર. જે શરીર પછી આત્મા નવું શરીર ધારણ કરતો નથી અને સિદ્ધભૂમિમાં જાય છે. ४४०
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy