SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.” (મહા, ૧૯૪૬. આંક ૧૦૩) જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. બાહ્ય તેની પ્રધાનતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે.” (વૈશાખ, ૧૯૪૬. આંક ૧૧૩) આ વચનો સમજતાં પ્રભુની ઇચ્છાનુસાર રહેવું તેમને કેટલું જરૂરી લાગતું હતું તે આપણને સ્પષ્ટ થાય છે. અતિ કઠિન જણાતા સંસારમાં તેમને પૂર્વકર્મનાં બળવાનપણાને કારણે રહેવું પડ્યું તે ખૂબ વિષમ હતું. ઉપરાંત નિગ્રંથ માર્ગ ભણી જતી તેમની આંતરિક શ્રેણિને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી શકતા નહોતા તેનું દુઃખ તેઓ સમભાવથી સહન કરવા સતત પુરુષાર્થી હતા. આ રીતે વર્તવાનું કારણ તેમણે વિચાર્યું હતું કે, - ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.” (રોજનીશી અષાડ ૧૯૪૬. આંક ૧૫૭) આ જ વર્ષમાં તેઓ પોતાના કાકાજી સસરા શ્રી રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાયા. આ રીતે સાંસારિક જવાબદારી વધી હોવા છતાં, પૂર્વકર્મની નિવૃત્તિ ત્વરાથી કરવા તેમણે અમુક નિયમો સ્વીકાર્યા હતા. જેમકે, “ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત ... દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષદને સહન કરી; અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું અધિકતર લાગશે, પણ પરિણામે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઇશ નહિ. ફરી ફરી કહ્યું છે, ઘેરાઈશ નહિ. દુ:ખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ, એ કરતાં અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર.” ૪૦૫.
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy