SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ કર્મના બંધમાં પરિણામે છે, અને એ કર્મનું ફળ છે દેવલોકનું મોટું આયુષ્ય. પરંતુ જે વિરલ વિભૂતિઓ સતત પંચપરમેષ્ટિ ભગવંતની ભક્તિમાં રમે છે, તેમનાં પુણ્યકર્મો ક્રમે ક્રમે પારમાર્થિક શાંતિ, શુદ્ધિ તથા સિદ્ધિમાં પરિણમે છે, અને તેના પડછામાં સાંસારિક શાંતિ આવે છે. આ રીતે પરમેષ્ટિ ભગવંતની ભક્તિમાં રમમાણ રહેતા જીવને જો પૂર્વકર્મના ઉદય સાંસારિક અશાતાના હોય તો પણ પારમાર્થિક શાંતિના પ્રભાવ અને પરિણામથી શુક્લધ્યાનમાં એ અશાતાના ઉદયો પ્રદેશોદયથી વેદાઈને ખરી જાય છે. આ પ્રક્રિયા કરવામાં તેમને પરિપૂર્ણ એવા શ્રી સિદ્ધપ્રભુ તથા અરિહંત પ્રભુનાં પરમાણુઓનો સાથ મળતો હોવાથી અન્ય શિથિલતા તેમનામાં આવતી નથી. પરંતુ જે સત્પરુષો સૂક્ષ્મ કે ધૂળ માનભાવથી કલ્યાણના ભાવ વેદે છે તેમને મુખ્યતાએ છદ્મસ્થ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજીનાં કલ્યાણભાવના પરમાણુઓનો સાથ મળે છે. આમાં પહેલા પ્રકારના સત્પરુષો શુક્લધ્યાનમાં જાય છે ત્યારે મોહની સાથે સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો બળવાન ક્ષયોપશમ કરી શકે છે, કરે છે. એટલું જ નહિ પણ, એ વીતરાગપણાની સ્થિતિમાંય કલ્યાણભાવ વિશેષતાએ કરી શકે છે. આવા બળવાન કલ્યાણભાવના પરિણામે એ જીવ શુક્લધ્યાનને લગતા, ક્ષપકશ્રેણિને લગતા અને કેવળજ્ઞાનને લગતા સર્વ પ્રકારનાં અંતરાયોનો ક્ષય જલદીથી કરી શકે છે. બીજા પ્રકારના પુરુષોના કલ્યાણભાવ અમુક પ્રકારના અને અમુક હદ સુધીનાં જ થાય છે. વળી, તેમને અપૂર્ણ કે છબસ્થ પરમેષ્ટિનાં પુગલોનો સાથ મળતો હોવાને લીધે તેમને પારમાર્થિક શાંતિ મળવા ઉપરાંત સાંસારિક શાતાની ઇચ્છાનાં પરમાણુઓ પણ તેમનાથી પ્રહાય છે. આનાં ફળરૂપે તેમનાં ધર્મધ્યાનમાં કે શુક્લધ્યાનમાં સંસારની શાતાનાં કર્મો બળતાં નથી, બલ્ક વધારે ઉમેરાતાં જાય છે. તેથી શુક્લધ્યાનથી જે શાતા વેદનીયના કર્મો ક્ષીણ થવા જોઈએ તે ક્ષીણ થતાં નથી, અને તેઓ પૂર્ણ આજ્ઞામાં રહેતા ન હોવાને લીધે તે જ પ્રકારનાં શાતાવેદનીય કર્મો નવો આશ્રવ પામી જીવને માટે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેઓ શુક્લધ્યાનમાં જેવા વેગથી અશાતા 3८४
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy