SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ઉદયોનો નકાર તો સહુ કોઈ જીવો કરે છે, પણ શુભ-શાતાકારી ઉદયોનો નકારા તો વિરલા જીવો જ કરી શકે છે. આત્મસ્વરૂપમાં સતત રહેવાની ઊંડી અભિરુચિ જાગ્યા પછી જ શુભ ઉદયો પ્રતિ અનાસક્ત રહેવાની સમર્થતા જીવમાં આવે છે. આવું શુભ પ્રતિ નિરાસક્ત થવાનું વલણ તેમનામાં આ વર્ષમાં ઠીક ઠીક પ્રગટ થતું આપણને જણાય છે. આ સ્થિતિનો આપણે જરા ઊંડાણથી વિચાર કરીએ તો આપણને અનુભવાય છે કે તેઓ ધર્મનાં મંગલપણાને અને સનાતનપણાને સતત વેદતા હોવા જોઇએ, આમ થયા વિના તેમને વર્તતી નિસ્પૃહતા તથા સંસારથી અસંગ રહેવાની વૃત્તિ આ માત્રામાં પ્રકાશિત થઈ શકે નહિ. અમારું કલ્પિત મહાલ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે.” (પોષ સુદ ૧૦, ૧૯૫૧. આંક ૫૫૪) આ સાલમાં તેમની અંતરંગ સ્થિતિને વર્ણવતા ઘણા પત્રો આપણને મળે છે. તેમની વધતી અસંગદશાની સ્પષ્ટ છાપ આપણને તે પત્રોમાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. આવા એક પત્રમાં તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે, – “એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી. એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા “ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યાવહારિક કાર્યો વિશે જેવા જોઇએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુ:ખ રહ્યા કરે છે.” ૨૮૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy