SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ બાજુથી ઉપાધિનો ભીડો છે, કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે.” (ચૈત્ર સુદ ૬, ૧૯૪૯. આંક ૪૩૯) “જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય તેવી છે. વેદવા યોગ્ય છે; માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાથ્ય છે.” (જેઠ સુદ ૧૧, ૧૯૪૯. આંક ૪૪૯) “ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિયોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે .. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપી જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે ... આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે, .... બેત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય એવા છે; અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહિ એવા છે, અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ.” (પ્ર. આસો વદ ૩, ૧૯૪૯ આંક ૪૫૩). “ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્વતમાં ઘણા પ્રકારનો ઉપાધિયોગ વેદવાનું બન્યું છે, અને જો ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિયોગમાં માથું ધડ ૨૭૦
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy