SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય રૂપ આંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે – ક્ષેત્ર (ખેતર), મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, વસ્ત્ર અને વાસણ. આમ પરિગ્રહના કુલ ૨૪ પ્રકાર કહ્યા છે. આ બંને પ્રકારના પરિગ્રહના ત્યાગી મુનિ મહારાજ ઉત્તમ આર્કિચન્ય ધર્મના ધારક છે. ઘણા લોકો બાહ્યપરિગ્રહના ત્યાગીને જ ત્યાગી સમજે છે, તેઓ આત્યંતર પરિગ્રહ પર લક્ષ આપતા નથી. તેઓના એ લક્ષબહાર રહે છે કે જ્યાં સુધી આંતરપરિગ્રહ પ્રવર્તે છે ત્યાં સુધી બાહ્યપરિગ્રહ ત્યાગવા છતાં, તેની મુર્દાનો ત્યાગ થયો ન હોવાથી સાચો ત્યાગધર્મ આવી શકતો નથી, એટલું જ નહિ ફરીથી બાહ્યપરિગ્રહ વળગવાનું પણ બની શકે છે. મોહરાગદ્વેષાદિ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે, અને જ્યાં હિંસા પ્રવર્તે છે ત્યાં સાચો ધર્મ સંભવી શકે નહિ. ક્રોધનો અભાવ તે ક્ષમાધર્મ, માનનો અભાવ એ માર્દવ ધર્મ, માયાનો અભાવ એ આર્જવ ધર્મ, લોભનો અભાવ તે શૌચધર્મ. પરંતુ આકિંચન્ય ધર્મ તો આ ચાર કષાય અને નવ નોકષાયના અભાવથી પ્રગટ થાય છે તેથી તેને વિશેષ મહાનધર્મ કહી શકાય. શ્રી જિનાગમમાં ‘મુર્હાને પરિગ્રહ કહેલ છે.' ત્યારે શ્રી અમૃતચંદ્રાચાર્ય મુર્દાની વ્યાખ્યા આપે છે કે “મમત્વ પરિણામ એ મુર્છા છે.” આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ તત્ત્વાર્થસૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે કે, “આ વસ્તુ મારી છે – આવો સંકલ્પ રાખવો એ રિગ્રહ છે.” મહાચાર્યોએ કરેલી પરિગ્રહની આ વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે પદાર્થ પોતે તો કોઈ પરિગ્રહ નથી, પરપદાર્થો પ્રત્યેનું જે મમત્વ છે, રાગ છે એ જ વાસ્તવમાં પરિગ્રહ છે. જ્યારે ૫૨૫દાર્થો પ્રતિનું આ મમત્વ છૂટી જાય છે ત્યારે તેનાં અનુસંધાનમાં ક્રમથી બાહ્યપરિગ્રહ પણ છૂટી જાય છે. પરંતુ બાહ્યપરિગ્રહના ત્યાગના અનુસંધાનમાં આંત૨પરિગ્રહ છૂટે એવો કોઈ નિયમ નથી. શરીરાદિ પ૨પદાર્થો અને ૧૮૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy