SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતનો મહિમા જાણવાનું કુતુહલ અને જિજ્ઞાસા થાય છે, કેમકે તેમનું કલ્યાણકાર્ય મુખ્યતાએ કેવળજ્ઞાન પછી શરૂ થાય છે અને આયુષ્યના અંતે પૂરું થાય છે. આપણે જાણીએ છીએ કે પરમાર્થ કે સંસારે શુભ પ્રગતિ કરવા માટે આપણને આપ્ત એવા પંચપરમેષ્ટિ ભગવંતના સાથની જરૂર છે. આનું કારણ તેમનામાં રહેલું તીર્થસ્થાન છે. આંતરશેલીથી જોતાં આવું તીર્થસ્થાન પંચપરમેષ્ટિ ભગવંતના હૃદયમાં જોવા મળે છે, કે જ્યાં તેઓ જીવ માટેના ઉત્કૃષ્ટ કલ્યાણભાવનું વેદન કરે છે. આ કલ્યાણભાવને ઉત્પન્ન કરનાર તથા વેગ દેનાર પરિબળરૂપ ગુણો છે – દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ. આ ગુણોના પ્રગટવાથી તીર્થસ્થાનની શોભા વધે છે. જીવને સાતમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરવા માટે તીર્થસ્થાનના પ્રત્યક્ષ આશ્રયની જરૂર છે, અને આઠમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરવા માટે તીર્થસ્થાનનો પરોક્ષ આશ્રય કાર્યકારી થાય છે. આ કારણથી આપ્ત પુરુષમાં રહેલો કલ્યાણભાવ એ સાચા અર્થમાં તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાનને ‘અરિહંતના તીર્થસ્થાન' તરીકે ઓળખાવ્યું છે. તેનાં કારણો આ પ્રમાણે વિચારી શકાય. અરિહંત પ્રભુ જેટલો બળવાન અને વિશાળ કલ્યાણભાવ અને તે પણ લાંબા કાળ માટે અન્ય કોઈ આત્મા વેદતો નથી. કલ્યાણનો આખો સ્રોત તેમનામાં ઉત્પન્ન થઈ અન્ય સપુરુષો પ્રતિ વહે છે. અર્થાત્ અન્ય સર્વ જ્ઞાનીપુરુષોના કલ્યાણભાવનું મૂળ તીર્થંકર પ્રભુમાં રહેલું હોય છે. વળી, પૂર્ણતા હોવાને કારણે આંતર તથા બાહ્ય એમ બંને શૈલીથી પૂર્ણતાવાળા ૐ ધ્વનિથી તીર્થકર પ્રભુ જીવોને બોધ આપે છે. પ્રભુની આ પ્રક્રિયાથી આપણને જરૂર અચરજ થાય, કેમકે આ તીર્થસ્થાન એવી જગ્યા છે કે આત્મા જ્યારે પૂર્ણ થઈ આ જગ્યામાં પ્રવેશે છે ત્યારે તેનાં મન, વચન તથા કાયાના વિભાવો બંધ થઈ જાય છે, જેથી માર્ગ પ્રવર્તાવવાનું કાર્ય નહિવતુ થઈ જાય. તેવા સંજોગોમાં શ્રી તીર્થંકર પ્રભુનું કાર્ય અભૂતપૂર્વપણે થાય છે. તેનું કારણ એ સમજાય છે કે વર્તમાનના અરિહંત પ્રભુ જ્યારે તીર્થંકર પ્રભુના નિમિત્તથી ઇતર નિગોદમાં આવ્યા ત્યારે તેમના એક સાથે બે પ્રદેશો ખૂલ્યા હતા, એ વખતે સાતમા પ્રદેશ સાથે આઠમો પ્રદેશ ખોલતી વખતે સિદ્ધ થતા અરિહંત પ્રભુ વરદાન આપે છે ૯૫
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy