SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - આ ગુણસ્થાને ચાર ઘાતી કર્મો – મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થઈ સર્વજ્ઞપણું પ્રગટે છે. કેવળજ્ઞાન લીધા પછી જેમને મન, વચન અને કાયાના યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી અને એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન. ત્યાગ ગુણ | ત્યાગભાવ – આત્માના અનુભવને અવરોધ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ. ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ દયા છે. દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન - કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂક્ષ્મમાં સૂમ કષાય પણ હણાતા હોવાથી તેને સૂમ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી. પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે. ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે. ત્રસનાડી – લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાના સ્વરૂપનું ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ કહેવાય છે. લોકના ભાગમાં માત્ર સૂમ એકેંદ્રિય જ તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર વસે છે. મોહનીય અને સભ્યત્વ મોહનીય. ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા (મિથ્યાત્વ) દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન ગુણસ્થાનમાંથી નીકળી સમ્યક્દર્શન પામતાં એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું પહેલાં મોનમંથન વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું ને થાય છે. ત્યારે જીવને “આત્મા નથી જ' અથવા દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, આવી પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી તેને દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. દર્શનાવરણ કર્મ કહેવાય છે. તેનો કાળ અંતમુહૂર્તનો છે. દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. દયા - ‘દયા’ એટલે અનુકંપા, દુ:ખથી છૂટે એવી દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યા ને દેવલોક લાગણી. સંસારનાં પરિભ્રમણથી પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે સ્વદયા. બીજાનું કહેવાય છે. ભલું થાય, બીજાઓ દુ:ખથી મુક્ત થાય એવી દેશવ્રત - નાનાં વ્રતોને દેશવ્રત કહે છે. પૂર્ણ નહિ ભાવના તે પરદયા. જીવને સંસારથી છોડાવવાના પણ અમુક અંશે પળાતું વ્રત દેશવ્રત કહેવાય. ૩૯૧
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy