SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધ: કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જ જીવને સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી રહે છે. અનુકંપા – સ્વાર કલ્યાણના ભાવ દ્વારા સહુ જીવો સુખને પામે એવા ભાવમાં રહેવું તે અનુકંપા. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અનંતચતુષ્ટય કહે છે. અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની શુદ્ધ સ્થિતિ તે અનંત ચારિત્ર અથવા યથાખ્યાત ચારિત્ર. અનંતદર્શન - એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું લોકાલોકનું જોવું તે અનંત દર્શન. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય. અનંતજ્ઞાન - સમા લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનંતાનુબંધી કષાય - જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને પ્રગટ થવા દેતા નથી. અનંતાનુબંધી ક્રોધ - કલ્યાણના સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. અનંતાનુબંધી ચોકડી - અનંત અનુબંધ કરવાવાળા ક્રોધ, માન, માયા તથા લોભના સમૂહને અનંતાનુબંધી ચોકડી કહે છે. અનંતાનુબંધી માન - સદૈવ, ગુરુ તથા શાસ્ત્ર પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે અનંતાનુબંધી માન. અનંતાનુબંધી માયા - શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની - વૃત્તિ તે અનંતાનુબંધી માયા. અનંતાનુબંધી લોભ - ધર્મના નામથી સંસારી લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે અનંતાનુબંધી લોભ. અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) ગ્રહણ ન કરવાનો નિયમ. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. ૩૭૨
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy