SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પામતા નથી. દેવતા, નારકી, ૬૩ શલાકાપુરુષ, જુગલિયા અને ચરમશ૨ી૨ીને આ પ્રકારનું આયુષ્ય હોય છે. જીવ જે આયુષ્ય બાંધીને આવે છે તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં જ પહેલાં જ પૂરું થતું જણાય તે સોપક્રમ આયુષ્ય - જેને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ. નિશ્ચયનયથી આયુષ્ય ઉદય પ્રકૃતિ અધવચથી તૂટી શકે નહિ. જે પ્રકારે બંધ પડયો હોય તે જ પ્રકારે તે ઉદયમાં આવવાથી બાહ્યથી અકાળે આયુષ્ય તૂટતું જણાય. તેમ થવામાં આયુકર્મના વિશેષ પરમાણુઓ અંતકાળમાં ભોગવાઇ જતા હોવાથી તે સોપક્રમ આયુષ્ય જણાય છે. આવું આયુષ્ય સાત કારણે તૂટે છે – ૧. અધ્યવસાય - રાગજન્ય અધ્યવસાય. મોહ લાગણી આદિના કારણે મૃત્યુ થાય, સ્નેહજન્ય - પુત્રપુત્રી, પતિપત્ની આદિના મૃત્યુથી તથા તેવા સમાચારથી મૃત્યુ થાય. ભયજન્ય - કોઈના ડરાવવાથી, ભય પમાડવાથી મૃત્યુ થાય, આ ત્રણ કારણે આઘાત લાગવાથી આયુષ્ય વહેલું તૂટતું જણાય છે. ૨. નિમિત્ત: લાકડી, ચાબૂક, શસ્ત્ર, ઝેર, અકસ્માતાદિના નિમિત્તથી મૃત્યુ થાય. ૩. આહાર: અતિ આહાર, વિકૃત આહાર, અજીર્ણના કારણે મૃત્યુ સંભવે. ૪. વેદનાઃ રોગ, શૂળ, મૈથૂન સેવનના અતિરેકથી મૃત્યુ આવે. ૫. શ્વાસોશ્વાસ: શ્વાસોશ્વાસ રોકવાથી કે ઘણા લેવાથી મરણને શરણ થવું પડે. ૬. સ્પર્શઃ વીંછી કે સાપ આદિના દંશથી મૃત્યુ થાય. ૭. પરાઘાતઃ આપઘાત કરવાથી, કૂવા, નદી, સમુદ્રમાં પડવાથી મૃત્યુ પામવું. આ પ્રકારે અકાળે આયુષ્ય પૂરું થતું જણાય તેવો બંધ પૂર્વમાં પડી ગયો હોય તેને જ આવું મૃત્યુ આવે છે. બાકીનાને આયુષ્ય સામાન્ય પ્રકારે પૂરું થાય એમ જણાય છે. બાકી આયુષ્ય કર્મનો ઉદય થયા પછી નિશ્ચયથી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ૨૩૪
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy