SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - (૬) અખેલક પરિષહ - જીર્ણ વસ્ત્રો, ફાટેલા વસ્ત્રો કે હલકા વસ્ત્રોથી દીનતા કે ક્ષોભ ન અનુભવે. જિનકલ્પી સાધુઓ કે દિગમ્બર સાધુ વસ્રરહિત હોય તે નગ્ન પરિષદને સ્વેચ્છાએ સ્વીકારે છે. (૭) અરતિ - અરઈ પરિષહ – અરતિ એટલે આનંદનો અભાવ. પ્રતિકૂળ પદાર્થોમાં ગ્લાનિ, શોક કે ચિંતા ન કરે. (૮) સ્ત્રી (ઈન્દી) પરિષહ – સાધુ ભગવંતોને ક્યારેક દુરાચારી સ્ત્રી તરફથી પરિષહ સહન કરવાના પ્રસંગો આવે છે. તેના હાવભાવ, કટાક્ષના આકર્ષણથી ચળ્યા વિના નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે. (૯) ચર્યા પરિષહ - એક ગામથી બીજે ગામ વિચરતા વિહારના થાક, વિઘ્નો કષ્ટ સમભાવે સહે એ સ્થળે લાંબો સમય નિવાસ ન કરે. (૧૦) નૌષધિકી (નિસ્ત હિયા) પરિષહ -વિહારમાં રહેવા, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવા ખંડેર, સ્મશાન, જંગલ જે સ્થળ મળે તેને ગમાં અણગમા વિના સ્વીકારે. (૧૧) શયા (સેજા) પરિષહ - વિરાટ કે ચાતુર્માસમાં ઊંચી-નીચી ટાઢ – તડકા, પવન વાળી જગા સૂવા મળે તો પ્રસન્ન ચિત્તે સ્વીકારે છે. (૧૨) આક્રોશ પરિષહ - કૂતરા ભસે કે અજ્ઞાન માણસો ભાંડે કે નિંદે તેનો ગુસ્સો, આક્રોશ ન કરે. | (૧૩) વધુ પરિષહ- કોઈ ક્રોધી મારે તો પણ શાંતિથી સહન કરે. (૧૪) યાચના પરિષહ - ગોચરી લેવા જવા ક્ષોભ કે અભિમાન ન કરે. ગોચરી ન મળે તો પણ સ્વસ્થ રહે. (૧૫) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (૧૫) અલાભ પરિષહ – ખપતી વસ્તુ કે ગોચરી ન મળે તો ગ્લાનિ વિના લાભાંતરનો ઉદય છે તેમ સ્વીકારે. (૧૬) રોગ પરિષહ - તીવ્ર રોગના ઉદયે સમતાભાવમાં રહે છે. (૧૭) તૃણ સ્પર્શ (તણફાસ પરિષહ) – ઘાસના સંથારા કે ખરબચડી જમીનમાં સૂવું પડે તો સમભાવે સહન કરે. (૧૮) મલ પરિષહ - શરીર કે વસ્ત્રો પરના મેલ કાઢવા સ્નાનની ઇચ્છા ન કરે. (૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ – માન - અપમાનમાં સમતા રાખે. (૨૦) પ્રજ્ઞા પરિષહ - ગમે તેવા સંજોગોમાં જ્ઞાનનો ગર્વ ન કરે, પણ પોતા પાસે જે જ્ઞાન છે તે બીજાને આપવાની ભાવના રાખે. (૨૧) અજ્ઞાન પરિષહ – જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાન ન મળે તો ખેદ ન કરે, પણ તપ-જપ-સમિતિ-ગુપ્તિ આરાધે. (૨૨) દર્શન (દંસણ) પરિષહ - સમ્યક પરિષહ કસોટીના સમયે પણ દેવ, ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા રાખે. આ પરિષદોને સમતાભાવે સહન કરનાર સાધુ, સાધ્વી કે શ્રાવક – શ્રાવિકાઓ કોટિ કર્માન્ત નિર્જરા કરી આત્માનું ઊર્ધ્વગમન કરી શકે છે. જૈન આગમ ગ્રંથો - જૈન ઈતિહાસ અને કથાનુયોગમાં હજારો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન કથાનકો જોવા મળે છે. પરિષહને સહન કરી ઉપસર્ગો સામે ઝઝૂમી વિજય મેળવનાર આત્માઓ મોક્ષપંથના પ્રવાસી બન્યા છે. (૧૬)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy