SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો પણ ઘણીવાર સ્ટેંશન નાનું હોય છતાં લાગે બહુ મોટું અને મન ડ્રાઈવર ગાડીને ઊભી રાખી દે તો આપણને સમજ હોવી જોઈએ કે નાનું સ્ટેંશન હોય તો પણ આપણી ગાડી ત્યાં સેકન્ડથી વધારે ઊભી રહેવાની નથી. તારી ગાડી તારા નાના-નાના સ્ટેંશન ઉપર ઊભી રહે છે. દુઃખ વખતે... દુઃખની ક્ષણ વખતે જો હું સાધક આત્મા છું, તો મારે નાના દુઃખોને ગણવા નથી. સુખ અને દુઃખનો એક નિયમ છે. તેને જેટલા ગણીએ તેટલા વધે અને જેટલા અવગણીએ તેટલા ઘટે. સુખને ગણવું સારું કે અવગણવું સારું ? સુખને જે અવગણે એને જ સાધક કહેવાય. સુખને ગણવા લાગે તે ક્યારેય સાધક બની શકતો નથી. વીતરાગભાવની પ્રાપ્તિ કરનાર વ્યક્તિ સમદુઃખના ભાવની અંદર આવી જાય છે. “સુખ કરતાં દુઃખ સારું અને તું બંનેને સરખું માને તો તે સૌથી સારું !’ તમે દુઃખથી દુઃખી થતા હો ત્યારે કયા કર્મ બંધાય ? દુઃખની નોંધ લેનાર વ્યક્તિ અનંતા દુઃખને નોંધે છે એટલે શું ? દુઃખ વખતે જે વ્યક્તિ દુઃખી થાય છે તે આર્તધ્યાન કરે છે અને આર્દ્રધ્યાન તેને જ કહેવાય જે કર્મોના પ્રદેશને કર્મોની તીવ્રતાને અને તેના સમૂહને વધારે છે. દુઃખ વખતે દુઃખી થનાર જીવ પોતાનાં દુઃખને અનંતવાર વધારે છે અને દુઃખ વખતે સમતા રાખનાર જીવ પોતાનાં દુઃખને ઘટાડે છે અથવા અલ્પ કરી દે છે ! સંદર્ભ:-જૈનઆગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યય-૨૯સિદ્ધત્વની યાત્રા ૧ ૨ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો ધન્ય સાર્થવાહની કથાનકમાં સદ્બોધના સ્પંદનો - પૂ. ડૉ. આરતીબાઈ સ્વામી આધારગ્રંથ અને ગ્રંથકારનો પરિચયઃ પ્રસ્તુત કથા તીર્થંકર કથિત શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર આધારિત છે. શ્રી જ્ઞાતાસૂત્ર બાર અંગસૂત્રોમાં છઠ્ઠું અંગ સૂત્ર છે. તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તેઓ પ્રથમ દેશનામાં ‘ઉપન્નઈ વા, વિગમેઈ વા, વેઈ વા’ આ ત્રિપદી પ્રદાન કરે છે. ત્રિપદીના શ્રવણથી જેને ચૌદપૂર્વ સહિત બાર અંગસૂત્રનું જ્ઞાન થઈ જાય, તેને તીર્થંકરો ગણધર પદે સ્થાપિત કરે છે. ગણધરો પોતાને પ્રગટ થયેલા જ્ઞાનના આધારે અંગસૂત્રોની રચના કરે છે. આ રીતે જ્ઞાતાસૂત્ર ભાવરૂપે તીર્થંકર કથિત છે અને સૂત્રરૂપે ગણધર ગ્રંથિત છે. શ્રી જ્ઞાતાસૂત્ર ધર્મકથાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. તેમાં જ્ઞાત-પ્રસિદ્ધ કથાનકો અને કેટલાક રૂપકોની યોજના કરીને શાસ્ત્રકારોએ ધર્મ અને કર્મના ૧૭
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy