SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર કરી. બીજા દિવસે, વિજયપુરમાં પદ્મ રાજાને ઘેર ખીરથી, પારણું થયું. ૨૦ વર્ષ સુધી સુમતિનાથ પ્રભુ ધ્યાન સાધના કરતા રહ્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ પ્રભુ દીક્ષાવનમાં પુનઃ પધાર્યા. તે વનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનમગ્ન બન્યા. ચૈત્ર સુદ ૧૧ના મઘા નક્ષત્રમાં, કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૦ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં વિચરી, વિવિધ સાધના કરી. ૨૪ દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ સંસારના તા સંબંધોની આસકિતનું સ્વરૂપ સમજાવતાં એકત્વભાવના પર પ્રથમ દેશના આપી. પોતાના આત્મા સિવાય બધા ‘પર' છે. આ બીજાના સંયોગ. વિયોગમાં પરિણમે છે. જે વસ્તુ હંમેશાં 4th સાથે રહે છે તે જ સ્વ હોઈ શકે અને જેનો સમય જતાં વિયોગ Proof થાય છે તે ‘પર’ છે. પ્રત્યેક સાધકે એકત્વ ભાવનાનો વિચાર કરી આત્મહિત સાધવું જોઈએ.” 15 પ્રથમ સાધ્વી કાશ્યપની પ્રવર્તિની બની ગરુડના વાહનવાળો તુંબટું નામક યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી પદમાસીનું મહાકાલી નામક યક્ષિણી શાસનદેવી બની. પ્રભુનું નિર્વાણ: પ્રભુ મોક્ષ સમય, સમીપ જાણી સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી ચૈત્ર સુદ ૯ના, નિર્વાણ પદને પામ્યા. પ્રભુના પાંચ કલ્યાણકઃ કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ ગુજરાતી તિથિ ચ્યવના શ્રાવણ સુદ ૨ વૈજયંત વૈશાખ સુદ ૨ દેવલોકથી અયોધ્યા જન્મ વૈશાખ સુદ ૮ અયોધ્યા વૈશાખ સુદ ૮ દીક્ષા વૈશાખ સુદ ૯ અયોધ્યા વૈશાખ સુદ ૯ કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૧ અયોધ્યા ચૈત્ર સુદ ૧૧ નિર્વાણ સમેતશિખર ચૈત્ર સુદ ૯ પ્રભુશ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦૦; કેવળજ્ઞાની ૧૩,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૦,૪૫૦; અવધિજ્ઞાની ૧૧,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૮,૪૦૦; ચતુર્દશપૂર્વી ૨,૪૦૦; ચેચીવાદી ૧૦,૪૫૦; સાધુ 3,૨૦,૦૦૦; સાધ્વી ૫,૩૦,૦૦૦; શ્રાવક ૨,૮૧,૦૦૦; શ્રાવિકા ૫,૧૬,૦૦૦
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy