SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર લોભ : ઝાંઝવાનાં જળ સમાન કે સાત્ત્વિક સહચિંતન નવકાર મંત્રનું રટણ તેને પરિવર્તિત કરવાની આમૂલ પ્રક્રિયા છે. આ મંત્ર શબ્દકોષના થોડા શબ્દોનો સમૂહ નથી, પરંતુ હદયકોષનું અમૃત છે, જેનું ભાવપૂર્વક સ્મરણ માત્ર મનને ચંદન જેવી શીતળતા અર્પે છે. નાભિમાંથી આ મંત્રોચ્ચાર કરીએ તો ભીતરમાં અનાદિથી પડેલ કષાયોનો કાળમીંઢ પથ્થર ભાંગીને ભુક્કો થઈ જાય. શારીરિક પીડા અને માનસિક પરિતાપ હરી ચિત્તતંત્રને શાંત કરે છે. આ મંત્રનું ચિંતન માત્ર ચિંતામણિ સમાન નહીં, અચિન્ય ચિંતામણિ સમાન પણ છે. નવકાર મંત્રનાં જાપ, સ્મરણ કે સતત શ્રુતલેખન એ એવી કલ્યાણની કેડી છે જે આત્મોત્થાનના રાજમાર્ગ સુધી આપણને લઈ જશે. લોનાવલામાં સ્વામી વિજ્ઞાનાનંદ સ્થાપિત વેદાંત આશ્રમ (New Way) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે, જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે જે ટીવીના પડદા સમાન પટલ પર સદશ્ય જોઈ શકાય છે. વીજાણુ યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકાર મંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધક ન હતા. માત્ર નવકાર મંત્રના રટણમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસંતોનું સ્મરણ, રટણ અને વંદન અભિપ્રેત છે. શુભ અને શુદ્ધનું ચિંતન જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે. જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર ચમત્કાર કે દંતકથા નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક ને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે. સતત શુભચિંતન અને વિધેયાત્મક વિચારધારા (Positive thinking) અનિટ અને અશુભનું નિવારણ કરે છે તે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકાર્યું છે. વૈશ્વિક નવકાર મહામંત્ર नभो अरिहंता नभो सिद्धा નમો આયરિયાણ નમો ઉવાચા नभो लोगे सव्व साहु અસંખ્યાતા ભવોથી આ જીવને તૃષ્ણા સાથે ગાઢ સંબંધ બાંધે છે. લોભ પરિગ્રહનું મૂળ છે અને પરિગ્રહ-આસક્તિ કર્મબંધનનું કારણ બને છે અને કારણનું પરિણમન ભવભ્રમણ છે. આમ, લોભ સંસારરૂપી વૃક્ષના મૂળને સીંચે છે અને વૃક્ષ નવપલ્લવિત થયા કરે છે. જીવનમાં સંતોષ દ્વારા જો નિર્લોભતા આવે તો ભવભ્રમાણ ઓછું થઈ જાય. લોભદશા આત્મામાં પ્રબળ બને એટલે આત્મામાં મહાવિનાશકારી પાપોનો પ્રવેશ થાય છે. લોભ વિવિધ વ્યસનો પાસે પહોંચવાનો રાજમાર્ગ છે. લોભ સર્વ અપાયેનું આશ્રયસ્થાન અને સર્વ વિનાશનું વિશ્રામસ્થાન છે. આ વાત આગમયુગની એક કથા દ્વારા સમજીએ. કેટલાક વેપારીઓ ધન કમાવા માટે વિદેશ જવા રવાના થયા. રસ્તામાં ખાવા-પીવાની સામગ્રી સાથે લીધી. ગાઢ જંગલમાંથી કાફલો પસાર થઈ રહ્યો હતો. તૃષાતુર વેપારીઓ પાણીની શોધમાં વ્યાકુળ થઈ ગયા હતા. તરસને કારણે ગળું સુકાઈ ગયું હતું. હવે પાગલની જેમ પાણીની શોધ શરૂ થઈ. આગળ જતાં રમ્ય વન દેખાયું, જેમાં ચાર શિખરો દેખાયાં, જે નીચેથી અર્ધસર્પાકાર વિસ્તારાયેલાં હતાં. ઉપરથી પાતળાં શિખરો જાણે કેસરી સિંહ ડોક ઊંચી કરીને ઊભાં હોય તેવાં સુંદર દેખાતાં હતાં. પાણીની અભિલાષામાં વેપારીઓએ આ નાનકડા શિખરને તોડી પાડ્યું. પહેલું શિખર તૂટતાં તેમાંથી સ્વચ્છ, સ્ફટિક જેવા શીતળ જળની ધારા વહેવા ૨૮
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy