SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 333333333333333333 આવે છે. એક પરિપાટીમાં ૩૮૪ ઉપવાસ, ૮૮ પારણા ફુલ ૪૭૨ દિવસ થાય છે. ચાર પરિપાટીના ૧૫૩૬ દિવસ (૪ વર્ષ, ૩ માસ, ૬ દિવસ) થાય છે. આ તપમાં કાલી રાણીનું શરીર સૂક્ત પાંદડા જેવું થઈ જવા છતાં પણ આત્મતેજ અને તપતેજથી નિર્મળ-નીરોગી કંચનસમ શોભાયમાન તતા મૂલ્યવાન બને છે. ત્યારે એને મનમાં વિચાર આવે છે કે, મારું શરીર અત્યંત કૃશ થયું છે છતાં જ્યાં સુધી મારામાં ઉત્થાન (ઉત્સાહ) કર્મ, બળ, વીર્ય, પુરૂષાકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેદ આદિ છે ત્યાં સુધી સંલેખનાઝૂસણાથી આત્માને સેવિત કરી ભક્ત પ્રત્યાખ્યાન કરી મૃત્યુની ઇચ્છા વગર વિચરણ કરું. પછી એ ઇચ્છા મુજબ ગુરુણી ચંદનબાળાની આજ્ઞા લઈ ૬૦ ભક્તનું અણસણ વ્રત કરી સિદ્ધગતિને પામ્યાં. (૪) કનકાવલી તપ - સુકાલી રાણીએ કર્યું - આ તપનીએ । ૨ । ધ ન । રત્નાવલી તપની જેમ જ કરાય છે. રત્નાવવી તપમાં ૮ ૬૪ છે તેની જગ્યાએ કનકાવલીમાં ૮ અઠ્ઠમ અને મધ્યમાં ૩૪ અર્ધમ કરવાના હોય છે તેમ જ પૂર્વવત્ પરિપાટી કરવાની હોય છે, તેથી તેના ઉવાસના દિવસ ૪૩૪ × ૪ = ૧૭૩૬, પારણાનો દિવસ ૮૮ × ૪ = ૩૫૨, કુલ ૫૨૨ × ૪ = ૨૦૮૮ દિવસ થાય. પછી સુકાલી રાણી પણ કાલીની જેમ જ સંથારો કરીને સિદ્ધ થાય છે. (૫) ક્ષુલ્લક (લઘુ) સિંહ નિષ્ક્રીડિત તપ – મહાકાલી રાણીએ કર્યું. સિંહની ગતિ અને ક્રીડાના આધારે આ તપ કરવામાં આવે છે. સિંહ જ્યારે ચાલે છે ત્યારે એક કદમ પાછળ જોતો ચાલે છે. તેનો તે સ્વભાવ છે. તેને પ્રતીક માની આ તપની અંદર સાધક ઉપવાસના ક્રમમાં પાછો ફરતાં ક્રમશઃ આગળ વધે છે. જેમ કે એક ઉપવાસ પારણું, છઠ્ઠ, પારણું પછી એક ઉપવાસ, પારણું, અઠ્ઠમ, પારણું, પછી છઠ્ઠ, પારણું ચાર ઉપવાસ, પારણું, અક્રમ, પારણું પાંચ ઉપવાસ આ રીતે પાછા ફરતાં ફરતાં ક્રમશઃ નવ ઉપવાસ સુધી આગળ વધે અને તે જ ક્રમથી નીચે ઊતરે એમ પૂર્વવત્ ચાર પરિપાટી કરે. એમાં તપના ૧૫૪૪૪-૬૧૬ દિવસ, પારણાના ૩૩×૪-૧૩૨ દિવસ, ફુલ ૧૮૭૪૪= ૭૪૮ દિવસ થાય. ત્યાર પછીનું વર્ણન કાલીરાણી વત્ ૧૫૮ 33333333333 14 de fer 3333333333SISIS અર્થાત્ ચૈન શમનું (૬) મહાસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપ કૃષ્ણ રાણીએ કર્યું. આમાં લઘુસિંહ નિષ્ક્રીડિત સિંહની જેમ પાછળના તપની આવૃત્તિ કરતા ૧૬ દિવસ સુધી આગળ વધવાનું છે. ત્યાર પછી ક્રમશઃ ઉતરવાનું છે. એની પણ પૂર્વવત્ ચાર પરિપાટી છે. તપના દિવસ ૪૯૭૪૪=૧૯૮૮, પારણાના ૬૧૪૪=૨૪૪, કુલ ૫૫૮૪૪૪૨૨૩૨ દિવસ થાય. ત્યાર પછીનું વર્ણન પૂર્વવત્ = કાલીરાણી વત્. - (૭) સપ્ત-સપ્તમિકા, અષ્ટ અધુમિકા, નવ નામિકા, દસ દસમિકા પડિમા આ ચાર પ્રકારની પ્રતિમા સુકૃષ્ણા રાણીએ કરી. એમાં સાતસપ્તમિકામાં પહેલા અઠવાડિયે એક દત્તિ આહાર એક દિત્ત પાણી એમ લેવાનું. બીજા અઠવાડિયે બે દત્તિ આહાર-પાણી, આમ ક્રમિક વધતા સાતમે અઠવાડિયે સાત દત્તિ અહારા-પાણી. આમ એના ૪૯ દિવસમાં =૧૯૬ દત્તિ આહાર-પાણી થાય. અમૃ અમ્રુમિકામાં આઠ-આઠ દિવસના આઠ વર્ષમાં પૂર્વવત્ આહાર-પાણીની ત્તિ વધારતા જવી. ૮×૮=૬૪ દિવસની ૨૮૮ દત્ત આહાર-પાણી. નવ નવમિકામાં ૯૪૯= ૮૧ દિવસની પૂર્વવત્ દત્ત લેતા ૪૦૫ ત્તિ આહાર-પાણીની થાય. દસ દસમિકામાં ૧૦×૧૦ = ૧૦૦ દિવસની પૂર્વવત્ ત્તિ લેતા ૫૫૦ ત્તિ આહાર-પાણીની થાય. આમ ૨૯૪ દિવસનું તપ કરી પૂર્વવત્ મોક્ષને પ્રાપ્ત - (૮) લઘુ સર્વતોભદ્ર તપ – આ તપમાં ક્રમશ:એક ઉપવાસથી પાંચ ઉપવાસ સુદી આગળ વધવાનુંહોય છે. તેવી એક પંક્તિમાં ૧૫ ઉપવાસ અને પાંચ પારણા થાય. તે જ રીતે પાંચ પંક્તિના ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા કરતાં ૧૦૦ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય. એવી ૪ પરિપાટી પૂર્વવત્ કરવી જે ૪૦૦ દિવસે પૂર્ણ થાય. આ તપ મહાકૃષ્ણ આર્યા (રાણી)એ કર્યું. બાકીનું વર્ણન પૂર્વનું આયું. (૯) મહાસર્વતોભદ્ર - વીરકૃષ્ણ આર્ય (રાણી)એ કર્યું. આમાં ક્રમશઃ એક ઉપવાસથી સાત ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં ૧૫૯.
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy