________________
©©CQ વિનયધર્મ ©©n દ્રોણાચાર્યના પાંડવો અને કૌરવો, બધા જ શિખ્યા હતા, છતાં પણ દરેક શિષ્યની જ્ઞાન ગ્રહણશક્તિમાં ઘણો તફાવત હતો. એક જ ગુરુના બન્ને શિષ્યો ભીમ અને દુર્યોધન, છતાં બન્નેની ગદાવિઘામાં, નિપુણતામાં ઘણો જ ફરક હતો, તે કદાચ બન્નેના વિનયભાવમાં ભેદને કારણે હોઈ શકે !! વિદ્યા પ્રાપ્ત કરવા શ્રેણિક મહારાજા ચાંડાલને ઉચ્ચ આસને બેસાડી સ્વયં નીચે બેસી વિઘા ગ્રહણ કરે તે વાતમાં વિદ્યાગુરુ પ્રત્યેનો વિનયભાવ રહેલો છે.
હાલના સમયમાં ગુરુજી-શિક્ષકો પ્રત્યે વિનયભાવ નથી રહ્યો તેવું કહેવું પણ અયોગ્ય છે. પ્રાચીન સમયમાં અર્જુન અને દુર્યોધન જેવા શિષ્યો હતો, તેમ હાલના સમયમાં પણ વિવેકી અને અવિવેકી વિદ્યાર્થીઓ હોય જ. આ સમજવા માટે નીચેનાં દૃષ્ટાંતો ઉપયોગી થશે.
૨૦૧૫માં એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં અમેરિકાથી એક પ્રોફેસર્સવિદ્યાર્થીઓનું ડેલિગેશન આપણી શિક્ષણવ્યવસ્થા અને હ્યુમન રિસોર્સીઝનો અભ્યાસ કરવા આવેલ. તેઓ એક મહિનો રોકાયેલા અને જુદી જુદી કૉલેજ-યુનિવર્સિટીની મુલાકાતો લીધેલ. પત્રકારોને તેમનાં Interview-press conferenceમાં, તેઓએ જણાવેલ બાબતો જાણવી ખૂબ જ રસપ્રદ છે.
પ્રશ્ન : તમારી મુલાકાત દરમિયાન તમને શું ગમ્યું ?
ડેલિગેશનના લીડરે કહ્યું કે, ‘અહીં પ્રોફેસર્સ અને વિદ્યાર્થી વચ્ચે જે પ્રેમલાગણી, અહોભાવ, સંકલન તથા સુવ્યયવહાર છે, તેથી અમો ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમારે ત્યાં વિદ્યાર્થીનો વ્યવહાર પ્રોફેશનલ છે. It is just give & take. They pay fees & get education. That's al." જેમ તમો ડૉક્ટર પાસે દવા લેવા જાવ અને ડૉક્ટરની ફી ચૂકવી વાત પૂરી કરો છો, તેવું જ અમારે ત્યાં શિક્ષણનું છે. જ્યારે ભારતમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ અંગત સંબંધોથી સંકળાયેલા છે.”
ગુરફળ-બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ તેમનાં ગૃહપતિ-ગૃહમાતા માટે બહુ જ ઊંચા ભાવો રાખે છે. બોર્ડિંગ છોડ્યા પછી પણ તેઓ તેમના ગુરુજીના સતત સંપર્કમાં રહે છે અને તેઓની સેવા કરવાની તક શોધે છે. નિરાશ થવાની જરૂર નથી. ભારતીય સંસ્કૃતિના પાયામાં વિનયભાવ છે. થોડા સમય પૂરતા ઉતાર-ચઢાવ આવે, પરંતુ પૂર્વના વડીલોના સંસ્કારોથી કાયમને માટે વિદ્યાર્થીઓનો ગુરુદેવો પ્રત્યે વિનયભાવ ધબકતો રહેશે જ તેવી શ્રદ્ધા રાખીએ.
| (રાજકોટસ્થિત પ્રફુલ્લભાઈ શિક્ષણ અને ધર્મમાં રસ ધરાવે છે અને સાહિત્ય સત્રોમાં ભાગ લે છે).
- ૨૦૧ -
©©ન્ડવિનયધર્મ ©©n સનાતન ધર્મ વિનયધર્મ
- ડૉ. દીક્ષા એચ. સાવલા જીવનનું મૂળ-ધર્મનું મૂળ વિનય છે. વિનય એટલે દેવગુરુ પ્રત્યે ભક્તિ અને નમ્રતા. વિનયરહિત ધર્મનું કાંઈ પણ ફળ નથી. તે કારણથી જ ‘ઉત્તરાધ્યયન સૂત્રનાં’ ૩૬ અધ્યયનોમાં સૌપ્રથમ વિનય નામનું અધ્યયન કહ્યું છે.
જેમ દયા ધર્મનું મૂળ છે, તેમ વિનય પણ ધર્મનું મૂળ છે. સૌની સાથે નમ્રતાથી વર્તવું તેનું નામ વિનય. અભિમાની માણસ કોઈનો વિનય કરી શકતો નથી, માટે આપણે નિરાભિમાની બનવું જોઈએ. દરેક ધર્મ ‘વિનયી’ બનો એવું કહે છે.
દુનિયામાં ધનના ઢગલાથી અને સત્તાના જોરથી પણ જે કામ થતાં નથી તે કામ વિનયથી ક્ષણવારમાં થઈ જાય છે. વિનય એક શ્રેષ્ઠ વશીકરણ છે. વિનયથી વરી પણ વશ થઈ જાય છે, શત્રુ મિત્ર બની જાય છે. તેથી જ કહેવત પડી કે વનો (વિનય) વેરીને વશ કરે.
श्रोत्रं श्रुतेनैव न कुंडलेन, दानेन फाणिर्न तु कंकणेन् ।
विभाति कायः करुणापराणाम् विनयेन न तु चन्दनेन् ।। કાન કુંડળથી નથી શોભતા, પણ ધર્મશાસ્ત્ર સાંભળવાથી શોભે છે. હાથ કંકણથી નથી શોભતા, પણ દાનથી શોભે છે. કરૂણામય માનવોનું શરીર વિનયથી શોભે છે અને નહીં કે ચંદનથી.” રાણા પ્રતાપ જેવા સુપાત્રના હાથ મજબૂત કરવા પોતાની સમગ્ર સંપત્તિ તેના ચરણે ધરી દેનાર ભામાશા આજે પણ શ્રેષ્ઠ દાનવીર તરીકે પંકાય છે. આ બધા પાછળનો હેતુ એકમાત્ર વિનયધર્મ છે, કારણકે વિનયધર્મનું મૂળ મનુષ્યજીવનના વટવૃક્ષમાં હશે તો દયા, પ્રેમ, દાન, સેવપ્રવૃત્તિ વગેરે જેવાં ગુણોરૂપી પુષ્પ-ફળથી વટવૃક્ષ સમદ્ધ બનશે જ.
- આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. ‘તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.’
- હિતોપદેશ ગૌતમ બુદ્ધના ઉપદેશમાં પણ કહ્યું હતું કે, “સારા વિનયધર્મથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વિનયથી-વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઈ જાય છે.”
છે ૨૦૨ -