SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદની મહત્તા થાય; કદાચ તેને તે પિતાના વર્તનથી જ આનંદ પણ થશે, પરંતુ જે સમ્યગદષ્ટિ છે તે આવું તેફાન કદી પણ ચલાવી લે નહિ. પિતાના ઉદ્યમનું વાસ્તવિક ફળ ન દેખાય તે સમ્યગૃષ્ટિ તે જરૂર એજ વિચાર કરશે કે મારા કર્તવ્યમાંજ કાંઈક ન્યૂનતા છે. તેને આવી ન્યૂનતા સાલશે અને તરત જ તે પિતાની ન્યૂનતા ટાળવાને માટે કટિબદ્ધ થશે. આત્માએ અનંત પુદ્ગલપરાવર્ત સુધી રાખવાની ઈચ્છા કરી છે, ઈચ્છામાં કશે પણ ભેદ રાખ્યો નથી. ઈચ્છા સાચી રીતે કરી છે છતાં તે નિષ્ફળ ગઈ છે; કારણ કે તે પ્રારકાને આધારે સુખ મેળવવા તૈયાર થયે છે “પાછી લાશ સા નિરાફા” એ વાત તેણે ધ્યાનમાં રાખી નથી. આત્માએ શરીર આહાર ઇન્દ્રિય અને તેના ઉપગની વસ્તુઓથી સુખ મેળવવાની આશા રાખી છે, પણ શરીર પારકું છે આહારવિહાર પારકા છે એને ખ્યાલ આત્માને રહ્યોજ નથી. પુદગલમાંથી સુખ મેળવવાની ઈચ્છા આત્મા રાખે છે પણ તેણે કદી એ વિચાર નથી કર્યો કે આ પરાયા પુદ્ગલથી મને સુખ મળે છે એ સુખ શા કામનું ? મારું પોતાનું સ્વરૂપ શું અને એ મારા પિતાના સ્વરૂપથી મને સુખ કેવી રીતે મળી શકે એ વાત કદી આત્માએ વિચારી નથી. જૈનત્વ પામીને શું કરશે ? - હવે જેનકૂળ પામીને આત્માને એનેજ વિચાર કરવાને છે કે હું મારા આત્માના સાચા સ્વરૂપને કયારે ઓળખીશ? મારા સાચા સ્વરૂપનું મને ભાન કયારે થશે ! ભારતવર્ષ જે આર્યદેશ મળે, જેનકૂળ મળ્યું,
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy