SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ૨૧૫ કરે છે એટલે તમારે માટે જીવાદિકનું જ્ઞાન મેળવવાને માર્ગ ખુલે થાય છે. ચોરને ચતુરાઈ આપીએ તેને કશેજ અર્થ નથી; કારણ કે ચેરને ચતુરાઈ આપવામાં આવશે તે ચાર એ ચતુરાઈને ઉપયોગ પણ ચોરી કરવામાંજ કરશે! તેજ પ્રમાણે નાસ્તિકને, કે શાસનદ્રોહીને જે મેક્ષમાર્ગનું જ્ઞાન મળશે તો એ જ્ઞાનને ખટે ઉપગ કરીને પણ તે જગતને આડે રસ્તે દોરવાને જ તૈયાર થશે ! એટલા માટે મેક્ષનું દયેય એને જરૂરી ચીજ માની છે અને જેણે એ ધ્યેયને કબુલ રાખ્યું છે, તેની જીવાદિક તવનું જ્ઞાન મેળવવાની યોગ્યતા સ્વીકારવામાં આવી છે. જ્ઞાન એ સઘળા ગુણોમાં પ્રધાન ગુણ છે. અવગુણનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. દર્શન એ રત્નદીપ છે, તે મને ભવનમાં ધારણ કરવાની ચીજ છે. દર્શન એ રૂચિ રૂપ છે; જ્ઞાન એ રત્નદીપને ભાવનારી શણગારનારી ચીજ છે. હવે જ્ઞાન એ પવિત્ર છે અને તે શીખવા યોગ્ય છે એ જાણ્યા પછી તેની આરાધના શી રીતિએ કરવી તે વિચારી જોવું જરૂરનું છે. જ્ઞાન બે પ્રકારે શીખી શકાય છે. વિનયથી પણ જ્ઞાન શીખી શકાય છે અને અવિનયથી પણ જ્ઞાન શીખી શકાય છે. માતા અને પુત્રોનો દાખલો લઈ એ વસ્તુને વધારે ચોકસાઈથી તપાસી જેવાથી વિનયથી મેળવેલું જ્ઞાન કેવું શીતલ છે અને અવિનયથી મેળવેલું જ્ઞાન કેવા પ્રકારનું છે તે તમારા લક્ષ્યમાં આવશે. એક માતાને બે છોકરા હોય, માતા બને છેકરાનું સારી રીતે લાલનપાલન કરે, તે છતાં બે છોકરામાંથી એક છેક માતૃભક્ત નીકળે છે અને બીજે વિને દ્રોહ કરનાર નીવડે છે. એ પ્રકારે જે વિનયથી જ્ઞાન
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy