SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સિદ્ધચક માહાસ્ય વાનના કથેલા સિદ્ધાંતની થએલી સૂવરચના ઉપર છે. “ઘર કુટે “ઘર જાય છે! સમ્યગદર્શન અને જ્ઞાનની સરખામણું પાડેશીના ઘર તરીકે કરી શકાય, પડોશીના ઘેર મૃત્યુ થાય છે તેની અસર આપણને થાય છે ખરી; પરંતુ એ અસર માત્ર લાગ ઉપર છે, માત્ર માન્યતા ઉપર જ તેની અસર પરિણામ પામે છે. તેમ સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાન એ માન્યતાની વસ્તુઓ છે; પરંતુ સમ્યફચારિત્ર એ તે બાપવું ઘર છે. ચારિત્ર ઉપર આફત એટલે તે ઘેર આવેલી હેકાણ જેવાજ પ્રસંગે સમજે. ચારિત્રની સઘળી અસર શરીર ઉપરજ પરિણામ પામે છે અને એથી જ સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન ઉપર થતાં આક્રમણે કરતાં સમ્યફચારિત્ર ઉપર થતાં આક્રમણે સંખ્યામાં પણ વધારે; અને તે વધારે ભયંકર પણ હોય છે. ચારિત્ર ઉપર આવતા હલ્લા, થતા આક્રમણે બે પ્રકારના છે; ઘરના આક્રમણ અને બહારના આક્રમણે. બહારના આક્રમણે તે કયા એ વિચારો. અન્યદર્શનીના આક્રમણે એ બહારથી થતા હલ્લા છે, પરંતુ ચારિત્રધારી તેમની સાથેના અન્ય દર્શનીએ સાથેના શંકા, પરિચય, પ્રસંશા વગેરેને ત્યાગ કરે તે એ બહારના હલ્લાથી બચી જઈ શકે છે પરંતુ અંદરના હલ્લા હંમેશાં વધારે ભયંકર હેય છે. ધાડપાડુએના કરતાં ઘરને કેળ વિશેષ દુઃખદાયી નીવડે છે એ તે તમે જાણે છે ! આત્મા શરીરમાં રહે છે, શરીર એ આત્માએ કર્મવશાત્ ભાડે લીધેલું ઘર છે. હવે એ શરીરજ જે ઉત્પાત મચાવે તે વિચારે કે આત્માની શી દશા થાય ?
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy