SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધપદ પાક અપૂર્વ શક્તિ નથી, પરંતુ અદશ્ય વસ્તુઓને જાણવાની એ જ્ઞાનવાળાઓમાં પણ એક તલ જેટલીએ તાકાત નથી ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન થાય છે તે પણ તે જાતે આત્મજ્ઞાન મેળવી શકતા નથી; તેમને પણ આગમરૂપી ટેકાની તો જરૂર રહે છે. ચાર જ્ઞાનવાળા પદાર્થજ્ઞાનમાં ચાહે તેટલા આગળ વધ્યા હોય, પણ જેમ એકાદ આંધળો સંગીતકાર સંગીતવિદ્યાને પારંગત હોય પણ આંખે આંધળે હોય તેવી તેમની સ્થિતિ છે. તેમને પણ આત્મજ્ઞાનને પંથે પગલાં માંડવાના છે, તે માત્ર આગમરૂપી લાકડીના ટેકાથીજ; અન્ય રીતે નહિ! મન ૫ર્યવાનીની મનના પુદગલે જાણવામાં તાકાત વધી છે, પરંતુ તેની તાકાત પણ અરૂપી આત્માને જાણવાના ક્ષેત્રમાં વધી નથી ! તે ક્ષેત્રમાં તે તે પણ બીજાઓની માફક જ આંધળે છે. આગમ એ આંધળાની લાકડી છે. કેવળજ્ઞાન થયા પૂર્વે તીર્થંકર ભગવાને પણ અર્થની પ્રરૂપણા નથી કરતા, તેનું કારણ હવે તમારા જાણવામાં આવશે. કેવળજ્ઞાન વિનાના બીજા જ્ઞાનેની શક્તિ અરૂપી પ્રદાર્થોને જાણવામાં શૂન્ય સમાન છે. એટલાજ માટે એ ચાર જ્ઞાનવાળા અર્થની પ્રરૂપણ કરવાનું યંગ્ય માનતા નથી. કેવળજ્ઞાન થયા પછી જ કેવળજ્ઞાની અર્થને જાણે છે અને પ્રરૂપવા લાયક છે તેની જ પ્રરૂપણા આદરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પૂર્વે અર્થ પ્રરૂપણ કરવામાં નથી આવતી તેનું આજ કારણ છે. અરિહંત ભગવાનને કેવળજ્ઞાન થવાનું જ હતું, તેમને એ દૈવી આંખે આવ
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy