SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત પદ ૪ જુગલીયાને પણ જ્ઞાન અને દર્શન તા હતાંજ; પણ ચારિત્ર ન હતું. આથીજ જીગલીયાને મહાપુરુષ માની શકતા નથી. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અને આદરણીય ખરાં; પણ ચારિત્ર વગર નહિ, ચારિત્ર હોય તેાજ તેની કિંમત છે. પહેલું ચારિત્ર છે અને પછી જ્ઞાન, દર્શન છે. જીગલીયા શ્રધ્ધાવાળા પણ હતા; પરંતુ તેમની એ શ્રદ્ધા પણ કૂવામાંની છાંયડી કૂવામાંજ સમાય તેવી હતી. જીગલીયાને જ્ઞાન દર્શન હતાં પણ તે સારાં છે એમ માનીને એસીજ રહેવાનુ, તેથી આગળ વધવાનુ જ નહિ. એટલાજ માટે જુગલીયાને સ્થાને તીથ ગણી શકાતું નથી. તીથંકર ભગવાનેાએ શું કર્યુ' ? તીર્થંકરા જેવા જ્ઞાન દુશનવાળા હતા તેવું તેમણે આચયું હતું; તેમને સ્થાને ચારિત્ર હતું. તેમણે જે આચયુ" તેના ફળ રૂપે જે મેળવ્યું તેથી તેમણે જગતને જાગ્રત કર્યું". આટલાજ માટે તેમને સ્થાને તીથ ગણાયું છે. તેને આજ કારણથી અરિહંત ભગવાન પહેલાં જ્ઞાન દન હેાવા છતાં તે અગ્રપન્દે આવી શકતા નથી. છ છ મહાસમ્રાટો સામે યુદ્ધ! અઢાર કાડાકાડી સાગરાપમ સુધી જે વીર ન પાયે તે વીર અઢાર કાડાકોડી સાગરોપમ પૂરા થયા પછી પાકે છે. તીર્થંકર મહારાજા પાકે છે તે કાળે જગતની સ્થિતિ કેવી હતી તેના વિચાર કરેા. એ સમયે આખું જગત ભાગના રેગમાં સપડાયેલું હતું, ભાગના કચરામાં આખું જગત પડેલું હતું, જેમ હેાળીના તહેવારામાં ધૂળની ફેંકાફેંકી થાય છે, તેજ પ્રમાણે ભેાગની માહ બધે છવાયેલી હતી. ४
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy