SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે નાખે. ગરમી શરીરમાં થઈ હોય તે તે ગરમીના હિસાબે પિતાનું કાર્ય કરે છે. વાત એ છે કે આખી જિંદગી જે પ્રમાણે કર્મો કરવાના તે કર્મોના પ્રભાવે આપે આપ ભેગવવાના. અહીં શંકા થશે કે ઈશ્વર શું કરશે. બીજાઓએ કર્મના હિસાબ રાખનાર ઈશ્વર માન્ય છે. તમે કર્મના સ્વભાવે કમને હિસાબ અને ફળ માન્યું. તમારે પરમેશ્વર માનવાની જરૂર નથી. જે કર્મનું ફળ પરમેશ્વરના હાથમાં રાખે તેને પરસ્પર માનવાની જરૂર. કાંટાને હિસાબ અજવાળું રાખતું નથી. કાંટાનું ફળ અજવાળું કરતું નથી, પણ કાંટાથી બચાવવાનું કામ અજવાળું જરૂર કરે છે. તેમ અમારે સાહેબ દુઃખ કરતું નથી, ફળ આપતું નથી પણ પાપ કરનારે કર્મના સ્વભાવે પિતે દુઃખી થશે, તેમાં સાહેબને લેવા દેવા નથી. કાંટાથી બચાવવાનું જરૂર કરી શકે છે. એમ અહીં જે સાહેબ-પરમેશ્વર તે જ્ઞાન આપે છે. આ પાપ કહેવાય તે હેરાન કરશે ને આ પુન્ય કહેવાય તે સદગતિમાં લઈ જશે–એમ જ્ઞાનરૂપી અજવાળું આપે છે. દીવા હિરા પથરાને ડિસાબ રાખતા નથી. પથરાનું ને હીરાનું સ્વરૂપ બતાવી દેવું, તેમ સાહેબનું કામ પાપ અને પુન્યનું સ્વરૂપ બતાવી દેવું, સૂર્ય રોશની દ્વારા સારા નરસા પદાર્થ બતાવે, તેમ ભગવંત પિતાના જ્ઞાન દ્વારાએ જગતને પાપ અને પુન્યના વિભાગ બતાવે છે. આથી આપોઆપ કર્મને ભેગવવાનું સાહેબ ઉપર રાખીએ તે કસાઈ બકરીને મારે તે વખત કે મારે છે? સાહેબ મારે છે કે કસાઈ? જે ફળ સાહેબ આપે તે સાહેબ જ મારે છે. ચોરી કરનાર ચેર નથી, ચેર સાહેબ. આપણુ પાપના ફળ તરીકે આપણે ઘેર ચેરી કરાવી તે ચોરી કરનાર સાહેબ, માટે બધા પાપ કાર્યોને કરનાર સાહેબ થાય, તે જીવેને પાપ લાગવાનું રહ્યું કયાં? એકને કેઈએ માર્યો તેને ફાંસીની સજા. હવે કોરટના જલ્લાદ, તે ખુનીને મારી નાખવાને તે ગુનેગાર ખરો કે નહિં કેરટના હુકમથી મનુષ્યને મારનાર જલાદ ગુનેગાર થતો નથી. તેમ અહીં બકરીને મરાવનાર જઠું બેલાવનાર ચેરી કરાવનાર વગેરે કરાવનાર સાહેબ, જગતમાં એકેને ગુન્હેગારી ન હોવી જોઈએ. તે પાપ ચીજ કયાં? દીવાના અજવાળાની પેઠે માત્ર સારી ખાટી સરસ નિરસ વસ્તુ જણાવનાર છે, તે કર્તા પિતે જ ગુનેગાર અગર શાબાશીવાળે થાય. સામાયિકમાં બે પ્રતિજ્ઞા કઈ? આથી અવિરતિથી કર્મ માનનારા ક્ષણ ક્ષણ સામાયકમાં જ ઉપયોગ રાખે. અહીં આવતા કર્મ રોકાય પણ ભૂતકાળમાં આવ્યા તેનું શું?
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy