SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી કહેતા નથી. તે સમ્યજ્ઞાન તે પણ ચારિત્રને પૂછડે રહ્યું છે. તેથી તે બે સ્વતંત્ર ધર્મ તરીકે ગણ્યા નથી. તેથી ચારિત્રને ધર્મ ગણ્ય છે. ધર્મના ત્રણ જ ભેદ. અહિંસા, સંજમ અને તપ. શ્રદ્ધા થયા પછીના જ્ઞાનને જ્ઞાન કહીએ છીએ. અગ્નિ લાકડામાં પેદા થએલે ટકવાને-વલવાને ને અગ્નિનું કાર્ય કરવા છતાં તેને ટકવાને, વધવા, કાર્ય કરવાને સંભવ કેની ઉપર ? વાયરા ઉપર, એવી રીતે સમ્યગદર્શનાદિ આત્માના જ ધર્મ તેમાં જ પ્રકટ થવાના, વધવાના પણ તે બધા અહિંસા, સંજમ અને તપને આધારે આગળ કહ્યું છે કે-ભરત મહારાજા અને વલ્કલચીરીને કેવળ પછી પણ સાધુપણું લેવાની જરૂર પડી. વાયરાનું અગ્નિ સળગાવવાનું કામ હતું. હવે અગ્નિ પુરજોશમાં છે તે હવે વાયરાનું શું કામ છે? તે તે વાયરાના આધારે જ ટકવાને, તેવી રીતે કેવળ થયા પછી પણ ટકે કયારે? ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર ટકે કયારે? અહિંસા, સંજમ અને તપ હોય ત્યારે જ ટકે. આ ત્રણ ચીજ ન હોય તે ચાહે જે પ્રદીપ્ત થએલે અગ્નિ હવા ખેંચી લેવામાં આવે તે ઓલવાઈ જાય. કેવળ થયા પછી બાયડી છેકરા રાખે, આરંભાદિક કરે તે કેવળ ટકે ખરૂં? વાયરાથી થએલે અગ્નિ વાયરે હોય તે જ ટકે. તેવી રીતે ક્ષાયિક સમકિત પણ તે અહિંસાદિકની મદદથી જ ટકે. કેવળજ્ઞાન પછી પણ અહિંસાદિમાં આવવું જ પડે. તેથી ભરતાદિકને પણ કેવળ થયા પછી સાધુપણું લેવું પડ્યું. આથી અહિંસા, સંજમ, તપ આ ચારિત્ર રૂપી અગ્નિને પવનની પેઠે સહકારી છે. કદી એ કબૂલ નહીં કરે કે, અમારે તો કેવળ થયા પછી અહિંસાદિ ન રહેવા જોઈએ. કેવળ પછી પણ અહિંસા, સંજમ, તપ હોય, કેવળ થયા પછી આરંભાદિક કરે તે કેવળી માનવાને તૈયાર નથી. જેને આત્મા ચા હોય તે હિંસામાં અસંજમ અને ખાવામાં લીન હેય નહિં. જે નિર્વિકારી જ્યોતિ સ્વરૂપ તેને લીલાનું કામ છે? છાનો ચોર મશ્કરીમાં ઉઠાવે, પકડાય તે મશ્કરી કરી, ન પકડાય તે બચી જાય. તેવી રીતે દેવ તરીકે પૂજાવું ને પકડાય ત્યારે લીલાને પડ નાખ પડે. આથી કેવળી થયા છતાં પણ કેવળી તેવી જ કરણી કરે, જે સર્વ સાધુને લાયકની અને આલંબનભૂત જ હાય. નહીંતર લીલાવાદ અને આપણામાં ફરક રહે જ નહિં. કેવળ થયા
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy