SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી રીતે કર્મ અપાવે એ આધારે પેલો કહે છે. તમે કહેતા હતાને જ્ઞાની કમને કણ ન ખપાવે, જે કમ કેડે વરસો લગી અજ્ઞાની-નારકી વિગેરે ન ખપાવે તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં ખસેડી દે. આ ઉપરથી સાબીત કરવા માગે છે કે-જ્ઞાન પણ કર્મ ક્ષય કરનારી ચીજ છે. મૂળ ગાથામાં કહ્યું છે કે-જ્ઞાની ક્યા લે? ત્રણે ગુતિએ ગુપ્ત એ જ્ઞાની કહ્યો. તેમાં તું ક્રિયા કયાંથી ખસેડે છે? ક્રિયા તે જોડે જ છે. શાસ્ત્રકાર જ્ઞાની કોને માને છે? તન્નાના મવતિ થfમનુરિતે શાન તેને શાસ્ત્રકાર જ્ઞાન જ નથી માનતા કે જે જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થયે તે રાગદ્વેષ વધતા રહે. કેટલીક વખત લાત દીવો વધારે ઝગઝગતો. લાગે. જેમને સમ્યગૂ જ્ઞાનાદિક, દેવાદિકની કિંમત ન હોય, પણ વસ્તુ હરાતાં જેટલી કિંમત જાણું હોય તેટલી લાગણી થાય. જે મનુષ્ય જેની જેટલી કિંમત જાણતા હોય તેનાં નુકશાન માટે તેટલી લાગણીવાળે હિય. જે પિતાનાં જીવન ધનમાલ કરતાં દેવગુરૂ ધર્મને અધિક જાણુતે હોય તે બધા કરતાં અધિક લાગણીવાળે થાય. લાગણી શાને અંગે? કિંમત જાણે છે તેને અંગે ગશાળાને ઉપસર્ગ આ છતાં રૂવાડું હાલ્યું ન હતું, એ તે ઇંદ્રને જાન જવા જેવું થયું. પૌગલિક વિષયમાં ધનમાલ, હાટ, હવેલીમાં લાગણી વધતી જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાનનો ઉદય થયા પછી પૌગલિકને રાગ ઝળકે જ નહિ. જે જ્ઞાની કહો તેના રાગદ્વેષ ઝળકતા નથી. બાહ્ય પદાર્થો પર પ્રીતિ નથી. તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કમ ખપાવી નાખે છે, પણ કર્મનિર્જરા કરનાર જ્ઞાન છે. એ વાત માનીને? જ્ઞાની એ તત્વને વસ્તુને જણાવનાર, પણ કર્મના કણીયાને સ્વતંત્ર ખસેડી શકે નહિં. દીવો ન હોય તે કચરે માલમ પડે નહિં. દીવાની મદદે જ કચરે જાયે, પણ કચર કાઢવાનું કામ સાવરણીનું. તેવી રીતે જ્ઞાનનું કામ માત્ર ઉદ્યોત કરી તત્વાતત્વને જણાવનારું, નિર્જરા કરવાનું કામ જ્ઞાનનું સ્વતંત્ર નથી. તે ચારિત્રનું કામ તે ખરું ને? ચારિત્રનું કામ કર્મને ખસેડવાનું નથી. નવતત્વ ભણેલા ધ્યાનમાં લેજે. પાંચ પ્રકારના ચારિત્ર સંવરમાં લે છે કે નિર્જરામાં? ચારિત્રનો એક પણ ભેદ નિર્જરામાં નથી. પાંચે પાંચ ભેદ સંવરમાં છે. સંવરનું કામ આવતા કર્મ કે.
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy