SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રવચન ૮૪મું નિર્ગસ્થ અને સ્નાતક કેણુ? તીર્થકર મહારાજા સર્વજ્ઞ છે, સર્વકાળને સર્વદ્રવ્યને સર્વ ક્ષેત્રને સર્વભાવને પોતે જાણનારા છે, તે તેઓ આત્માની હિતકર પ્રવૃત્તિ બતાવ્યા સિવાય રહે જ નહિ. એમણે બતાવેલી પ્રવૃત્તિમાં હિતની ઓછાશ નયનપણું ગણીએ અને પિતાની કલ્પનાથી હિતનું સ્થાન ઉભું કરીએ તે બેમાંથી એક વાત કબૂલ કરવી પડે, કાંતે તે સર્વજ્ઞ ન હતા, તેથી બધા રસ્તા દેખ્યા ન હતા, કાંતે એમણે હિતના બધા રસ્તા દેખ્યા હતા પણ એમને એમ માલમ પડેલું કે આ રીતે બધા જશે તે પછી મને ભજનાર કોણ રહેશે. હિતને રસ્તે દેખ્યા છતાં ન કહેવાનું કારણ શું? બીજે હિતને રસ્તે ચડે તે પોતાને ગમતું ન હોય ત્યારે હિતનો રસ્તે જાણ્યા છતાં હિતને રસ્તા કહે નહિં, આ બને દોષમાંથી એક આપણે કબૂલ કરીએ તેમ નથી. તીર્થની શરૂઆતથી છેડા સુધી હિતના રસ્તા દેખાડેલા છે. અથથી ઈતિ સુધી હિત તપાસ્યું ત્યારે જ કહી શક્યા કે “વસુરાપુરીરં તિલ્ય” તીર્થ સ્થાપન કરનારા સ્નાતક કેવળી. તીર્થકર અને સામાન્ય કેવળી એ બને સ્નાતકમાં. સ્નાતક એટલે જેને ઘાતિકર્મ ઉદયમાં ઉદીરણામાં બંધમાં ને સત્તામાં પણ નથી. એટલે સંપૂર્ણ રીતે પવિત્ર થએલે, લાગેલ કર્મ મેલ ધાએલા, એટલું જ નહિં પણ ન કર્મ મેલ લાગી શકે નહિં એ આત્મા જેણે કર્યો હોય તે સ્નાતક. શાસનની શરૂઆત તેવા સનાતકેથી, ભવિષ્યને માટે એવી સ્થિતિ અખત્યાર કરી છે કે કઈ દિવસ આત્મા મેલે થાય નહિં. આવા સ્નાતકોએ તીર્થની ઉત્પત્તિ કરી. તીર્થકર પણ તીર્થ સ્થાપે કયારે? આવા સ્નાતક થાય ત્યારે. કારણ? તીર્થંકર મહારાજનું એફકે એક વર્તન અનુકરણીય હોવું જ જોઈએ. પછી અનુકરણ કરી ન શકે એ વાત જુદી છે. એક એક વર્તન અનુકરણીય તે હવું જોઈએ. તીર્થકર કેવળજ્ઞાન ન પામ્યા હોય ત્યાં સુધી કષાય કુશીલ હોય. કેવળજ્ઞાન પામવા પહેલાંના બધે વખત ચાહે તીર્થકર કે સામાન્ય પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધ કે કેવળી થવાના હોય તે સર્વે કષાય કુશીલમાં જ હોય. કષાયકુશીલપણું રહે ત્યાં સુધી તીર્થ સ્થાપના જ નથી. નિગ્રંથપણામાં ઘાતિને ઉદય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાયને ઉદય છે. માટે ત્યાં પણ તીર્થની સ્થાપના કરે નહિ. જ્યારે પિતે ઘાતિને ક્ષય કરી સ્નાતક થાય ત્યારે જ તીર્થ સ્થાપે. મદારી
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy