SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૨ પ્રચન ૭૬ મું નિriષે પવિયાં. હે ભગવત! હું નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરું છું, હે. ભગવંત! હું નિર્ગસ્થ પ્રવચનની પ્રતીતિ કરૂં છું, અને હે ભગવંત ! હું નિથ પ્રવચનની રૂચિ કરૂં છું. કોઈ કહે કે દરવાજામાં હિરે પડ્યો છે. શ્રદ્ધા થઈ છે પણ ભરસો નથી. પ્રતીતિ સ્વરૂપે જ્યારે જાતે જુએ ત્યારે ખાત્રી થાય અને તે પ્રતીતિ થઈ કહેવાય. કલયાણને કોઈપણ રસ્ત હોય. બચાવને કોઈપણ રસ્તો હોય તે કેવળ નિગ્રંથ પ્રવચન જ છે. આવી પ્રતીતિ આણંદ શ્રાવક કહે છે કે હું કરું છું. પ્રતીતિ હોય એટલે મેળવવાની ઈચ્છા થઈ જતી નથી. સૂર્ય ચન્દ્ર દૂરથી દેખવાના છે. શ્રદ્ધા છે કે રત્નના છે, પણ છતાં રૂચિ મેલવવાની થતી નથી. પારકે ઘેર પરાર્ધ રૂપીઆ છે એમ માને છે, કહો કે માનીએ છીએ. ખરી ખાત્રીથી માનીએ છીએ, શ્રદ્ધા પ્રતીતિ થઈ ગઈ પણ શામાં લટક્યા છે? પારકા રૂપીઆ છે. તેથી લેવાની રુચિ થતી નથી. તેવી રીતે ભગવાન ગુરુ અને ધર્મમાં નિરાશ્રયપણું છે. તેની પ્રતીતિ થઈ, પણ ત્રીજે હીસ્સો લેવાની રૂચિના પરિણામ આવ્યા નથી. એ નિન્ય પ્રવચન મને ક્યારે મળે? એ મળે ત્યારે જ મારી જિંદગી સફળ. એ રુચિ હજુ થઈ નથી. આ આણંદ શ્રાવકે ભગવાન ને જણાવ્યું કે નિન્ય પ્રવચનની શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ મને થઈ છે. રોચક સમ્યકત્વમાં કઈ સ્થિતિ આવવી જોઈએ. કહેવાપણાનું કથન તે અભવ્ય ને મિથ્યાદષ્ટિએ પણ કહે છે. રેચક સમ્યકત્વવાળા તે જ્યારે ત્યાગ મેળવું? એક છોકરે ખોવાઈ ગયા હોય ને છ બાર મહિના થયા પછી મળવાના સમાચાર આવે, મળવાની આશા બંધાય, ત્યારે કેટલું હૃદય ઉછળે છે? આ કાળી શ્રુતદેવીના મકાનમાં અનંતા કાળથી સૂતેલા છોકરા સમાન અનંત ઋદ્ધિ અહીં મળે છે, પણ હજુ આત્મા લેવાને તૈયાર નથી. હજુ ઘર વાડી હાટ હવેલી અને બંગલા બગીચા મેળવવામાં મન દેડે છે. ત્રીજા વિષયને આણંદશ્રાવક ભર સભામાં એકરાર કરે છે. તે રાજા, ઈશ્વર, શ્રેષ્ઠિ કૌટુંબિક સેનાપતિ વિગેરેને ધન્ય છે, વંદનીય છે કે જેઓએ નિશ્વ-પ્રવચન અંગીકાર કર્યું છે. હું નિભોગી, અધન્ય, અકૃતાર્થ. શાથી આણંદશ્રાવક પિતાને અધન્ય ગણે છે? અરે સભા સમક્ષ અધન્ય ગણાવે છે કે--હું આ નિર્ચથ-પ્રવચનને લઈ શકતા નથી. તેથી હું તો પાંચ અણુવ્રત ને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવતવાળે શ્રાવક ધર્મ અંગીકાર કરીશ.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy