SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રવચન ૭મું સાંભળવામાં તેને હર્ષ હતો. ભારતનું સાધર્મિક-વાત્સલ્ય કહીએ છીએ, તે આ લોકોનું સહમ્મી વાત્સલ્ય. તેઓ ભરત મહારાજાને જ્યાં જ્યાં દેખે ત્યાં ત્યાં આ વાક્ય કહે. તમે કર્મશત્રુથી હારી ગયા છો અને તમારા માથે કર્મશત્રુને ભય ઝઝૂમી રહેલ છે. હું આ સાંભળી કંઈક જાગતે રહું, એ માટે જ વચને કહેવરાવે છે. આ લેકનું સાધર્મિક વાત્સલ્યભરત કરતા હતા. “તો માનું વતે માં’ એમ કહેનારાઓની નાની સંખ્યા ન હતી. જેમને જમાડતા ચક્રવતી ભરતના રસેઈયાઓ થાકી ગયા હતા. ભરતને તેમણે ફરીયાદ કરી કે આમાં સાચા શ્રાવક કેણ અને જૂઠા કાણું તેની ખબર પડતી નથી. જેને અંગે ભરત મહારાજા પણ ચમક્યા. જૂઠા દૂર કરવા માટે સાચા જૈન – શુદ્ધ શ્રાવકને નિયમિત કરવા માટે કાકિણ નામના રત્નથી ત્રણ રેખા કરવી પડી. શ્રાવકે સાથે જઠા ઘેલ્લાઈયાઓ કેવા ભળી જતા હતા, પણ જૂઠ્ઠાને જુદા પાડવા જ પડ્યા. સાચા શ્રાવકોને ત્રણ રેખા કરવી પાલવી પણ જૂઠાનું ભરણ-પોષણ પાલવ્યું નહીં. ચિહ્નની જરૂર શાથી પડી? રસોઈયાઓને ફરીયાદ કરવી પડી ને ગોઈયાઓને જુદા કરવા માટે જ ત્રણ રેખાઓ કરી. પ્રશ્ન-જુદા પાડ્યા ભક્તિ માટે કે અનુકંપા માટે? સામાધાન-જૈનત્વ વગર ભક્તિ કરવી લાયક નથી. ગેલિયાઓને જુદા કરવા માટે, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ત્રણ રેખાઓ શ્રાવકપણાની નિશાની તરીકે કબૂલ પણ તેની ઉત્પત્તિ વિચારીએ તો શ્રાવકપણાને ઓળખવા માટે નથી પણ ગેલિયાથી બચવાના માટે, નહિંતર રસોડું શરૂ થયું ત્યારે જ કરતે, પણ પાછળથી રેખાઓ કરી છે. દીક્ષા ફેબ્રી બીજી બાબત જે લેયાઓ ઘુસી જતા હતા તેના બચાવ માટે ત્રણ રેખાઓ કરી હતી અને સાહષ્મી વાત્સલ્યની વાસ્તવિકતા સાચવી. તેની ફરજ શી હતી ? દક્ષિણ આફ્રિકામાં હીરાની ખાણ માટે માણસો રાખે છે, તેમ સાઘુરૂપ હી બનાવવા માટે ભરતમહારાજાએ સાઘુની ખાણ અગર સાઘુ તૈયાર કરવાનું કારખાનું કાર્યું. ત્રણ રેખાવા વગ સાધુનું જ કાખાનુ. તે કારખાનાને મુદ્રાલેખ સાંભળ્યો છે?
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy