SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૫મું ૩૯ ઘરનો જણેલા છે.કરો ખાળે આપીએ છીએ, પછી પાંચ લાખની મુડી હોય, ને ત્રણ છોકરા હોય તો પેલા ખાળે આપેલા પચીસ હજાર માગે તો પણ ન આપો. છોકરા તરીકે પોષણ નથી પણ પોતાના માહને લીધે પાષણ કરે છે. તો આ સ્થિતિ વિચારીએ તો માબાપનો ઉપગાર માનવાનો રહે નહિ. પણ સજજન પુરૂષે એ જોવાનું નથી. એનાથી મારો ઉપગાર થયો છે કે નહિ એ જોવે તેમજ દેવ ગુરુ. શેઠ અને માબાપનો ઉપગાર માનવાનો રહેશે. અમે તો લગીર બહાર રખડતા હતા. તો અહીં ભણાવશે કે સામાયિક કરાવશે અને પોતે માહાની દોરી મેળવી લેશે. માટે અમારા આટલા ઉપગારથી તેમણે ઉલ્ટો અમારો ઉપગાર માનવા જોઈએ. શેઠને અંગે વિચારીએ તો અમે કહેતા હતા કે એમના વેપાર ચાલ્યો, તો શેઠે નાકરનો ઉપગાર માનવો જોઈએ. તેમ માબાપને અંગે પણ અમે જન્મ્યા ન હતે તો વાંઝિયા ગણાત. એમનું નામ રહયું. માબાપે અને શેઠે છોકરા અને નેકરને ઉપગાર માનવો. આ ઈતિહાસ દુષ્ટ ભાવિકનો થયો. સંગમદેવતા આટલા બધા નિર્જરા કરાવનાર, નિકાચિતકર્મના ફ્રાય કરાવનાર, આરાધ્ય હોવા જોઈએ. સમળે માથું મઢાવીને એ નામ સંગમદેવતાની પરીક્ષામાં પાસ થયા તો મળ્યું. ડેપ્યુટી સંગમદેવતાને ? આ બધું દુષ્ટ ભાવિકને ગે કહયું. ગણાય ભાવિક પણ હોય દુષ્ટ. મહાવીરને મોટું નામ આપનારને માટે ઈંદ્ર દુષ્ટ, પાપી, માં દેખવા લાયક નહીં વિગેરે કહયું. નિર્જરા કરાવનારને દુષ્ટ પાપીષ્ટ કેમ કહેવાય! મહાવીર મહારાજને ઉત્તમ નિર્જરાના કારણમાં જોડી આપનારને દુષ્ટ પાપી કેમ કહેવાય? પણ તેને પાપી અને દુષ્ટ કહેનાર ઈંદ્રને ભગવાનને ઉત્તમ ભકત અને સમકિત ગણ્યો. તે કેમ ? તે જરા વિચાર કરો. ભગવાન મહાવીર મહારાજા સંગમના એક બાજુ ઉપકાર ગણી શકે. આવું સાધન ન મળ્યું હતે તો નિર્જરા કયાંથી થતુ? પણ બીજાઓ તે જયારે તે સંગમને જાણે ત્યારે ધિક્કાર કર્યા વગર રહે નહિ. કારણ? એ સંગમની ધારણા અધમાધમ, ધર્મથી ચલાયમાન કરવાની, મહાવીરના જીવ જાય તો પણ પ્રતિશા તોડાવું, પ્રતિશાથી ન ખસે તે ચૂરી નાંખું, મેરુ પર્વત પણ ચૂરો થાય તેવી શીલા અને ચક્ર મૂકી, ભગવાનના ચૂરો કરવા વિચાર કર્યો. જીવન લેવા તરીકેની સજા કરી ચૂકયો. પરીક્ષાએ જીવન લેવાની આ સંગમે કરેલી પ્રવૃત્તિ જાણનારો સંગમને ધિક્કાર કર્યા વગર રહે નહિ. જો દુષ્ટ ભાવિકપણુ ન હોય તો અહીં સંગમ ઉપસર્ગ કરી રહ્યો હોય, પછી દુષ્ટ ભાવિક વિચાર કરે કે તા મહાવીર મહારાજને નિર્જરાનું કારણ થયો વિગેરે, તે અજ્ઞાની તથા ધર્માદ્ધાથી રહિત હોય તે જ કહી શકે. વરસાદની ઋતુ હોય, તે ખાતર મહારાજ ગોચરી જઈ ન શકયા હોય, તેવે ટાઈમે સમજુ ભાવિક શું વિચાર કરે ? અરે હું સંજમમાં વિઘ્નભૂત થયો, મહારાજનો તો ધર્મ છે કે સહન કરે, એમ દુષ્ટ ભાવિકબોલે. આ તો એક સામાન્ય વાત છે. આ સ્થળે મુનિરાજ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy