SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ આગદ્ધારક પ્રવચન શ્રેણી સુખના સાધને સાહ્યબી પુન્યથી મળે છે, તેને અનુભવ કરવામાં તેમને અડચણ નથી, તે સાધુ ઉપાધ્યાય કે આચાર્યાને જે કઈ વાયરો નાખે, અનુકૂળ સાધને મેળવી આપે તો આચાર્યાદિના પુન્યને ઉદય ખરો કે નહિ? જે પુન્યનો ઉદય પ્રતિઘાત કરવા લાયક તે તીર્થકરોએ પ્રતિઘાત કેમ ન કર્યો? કાંતો મુનિઓએ પુન્યાઈ કેમ ન ભોગવવી ? એક ઘડો લઈ જતો હતે. નદીને કાંઠે પાણી આવ્યું. મનુષ્ય સ્વયં તરવાવાલે હતું તેથી ઘડાને જતે કર્યો. તે જ વખતે બીજે છેડે મનુષ્ય, જેને મુદ્દલ તરતા આવડતું નથી, તે વિચારે છે કે આ ધડો જત કરે છે તે માટે જ કરે, તો શું થાય? એ નથી જતો કરે તેમ ધારી પ્રથમ જ ન કરે તો ? એક શિક્ષિત, એક અશિક્ષિત, એક તારૂ, એક તારૂં નથી, તે બેની સરખાવટ કરવી તે ભૂલ ભરેલી છે, તેમ આચાર્યાદિ, ભલે પરમેષ્ઠિપદમાં દાખલ થએલા પણું કરમના કેદી છે. મેહના મુંઝાએલા, મેહને મુંઝારામાં પડેલા જે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ, મોહના મુંઝારા વગરના તીર્થકરની સાથે તુલના કરવા જાય તેની વેલે શી ? સ્વયં તરનાર ઘડા રાખે તે ખરાબી, નહીં તરવાવાળા ઘડે છેડે તેમાં ખરાબી. તે વીતરાગ પરમાત્મા ક્ષીણ કષાયી હોવાથી સાગને આધીન, આત્માનું અવળચંડાપણું થવાનું નથી. આચાર્યાદિની ઉપાધિમાં, આત્મામાં અવળચંડાપણું થઈ જાય, કારણ કે મેહના મુંઝારામાં, મુંઝાઈ ગએલા છે. સકષાયી–અવસ્થામાં સર્વને પરિહાર કરવાને, નિષ્કષાયી અવસ્થામાં રહેવાય તે જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય. સાધુને પિતાને નિમિત્તે કરેલાં મકાનમાં ઉતરે તે પ્રાયશ્ચિત, તે સમેસરણ તેના માટે ? તેમાં તીર્થકર મહારાજા કેમ બીરાયા ? એક જ મુદ્દો, ક્ષણિકષાયી હોવાથી, તીર્થકરને રાગદ્વેષની પરિણતિ થવાની નથી, તેથી તેમને વર્જન કરવાને નિયમ નથી, પણ આચાર્યાદિકને રાગદ્વેષની પરિણતિને સંભવ માટે વર્જવાનો નિયમ. આમ કર્યા છતાં તીર્થકર મહારાજા ધર્મના બોધ માટે સમેસરણમાં જાય, અંગત આહારાદિક કેવળી થયા તે પણ પરિહાર કરે. રેવતી શ્રાવિકાએ લેહીખડે મટાડવા માટે જે પાક કર્યો હતો, તે સહ અણગારને કહ્યું કે- “મારે માટે કર્યું છે માટે ન લાવતા.” કેવલીપણામાં ધાકમી ભિક્ષા છોડવાની, સમોસરણમાં ધર્મપ્રતિબંધ કરવાની, અનામકર્મ ઉદય હતું તેથી સમોસરણની સ્થિતિ ચલાવી,
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy