SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૭ મું ૩૩૭ પ્રવચન ૩૭ મુ શ્રાવણ સુદી ૧૫, શુક્રવાર મહારાજા શાસ્ત્રકાર મહારાજ શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા જણાવી ગયા કે આ સસાર સમુદ્રની શરૂઆત કે અંત એટલે છેડો પણ જેના નથી, તેવા સંસારમાં અનાદ્ધિ કાળથી આ જીવ રખડી રહ્યો છે. કર્મો અને ફળની અપેક્ષાએ, તેજસ શરીરની અપેક્ષાએ અનાદિપણુ સમજાવી ગયા છીએ. રખડતા રખડતા તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તે કેાઈને આધિન ન હતા, તેની પ્રસન્નતા થાય તેથી મળે તેમ ન હતું, અગર તે આપણને મળે તેમાં ખીજાને અડચણ હતી ને કેાઈ વિજ્ઞ કરતા હતા, તેમ પણ ન હતું. અથવા ઉત્પત્તિની મુશ્કેલી હાય તા તેથી સહેજે ન મળે, તે ત્રણેમાંથી એક પણ મુશ્કેલી ન હતી. ઉદ્યમ માટે ઉપદેશ કેમ ? જે જીવ જેવી ગતિ લેવા માગે તેવી લઈ શકે છે. તેને જ લીધે શાસ્ત્રકારો અને ઉપદેશ ાએ સ્થાન સ્થાન પર સસ્ક્રૃતિ મેળવવા માટે ઉદ્યમ કરવાના ઉપદેશ લખ્યા છે. જો શકિત ન હોત તો શાસ્રકાર સતિ માટે ઉપદેશ આપત નહી. અથવા સદ્ગતિ મેળવવી, ક્રુતિ કવી તે તમારે આધીન હોવાથી ઉપદેશ કરેલા છે. સ્ક્રૂતિ પેાતાની મેળે મળી જતી હોય તો કેાઈને સદ્ગતિ અળખામણી નથી. કોઈ દુતિ જવાવાળે થાત જ નહી. અભ્યાસ કરી પાસ થવું તે વિદ્યાર્થીના હાથમાં જ છે. વિદ્યાર્થી મહેનત કરી વિધાભ્યાસ કરી પાસ થાય છે. દરેકને ઊંચે નખરે પાસ થવાની ઇચ્છા હોય છે. કેાઈને નાપાસ થવાની ઇચ્છા હોતી નથી. વિદ્યાર્થીઓ પાસ થવાની ઈચ્છા રાખે છે. રમત છેડી વિદ્યાભ્યાસ કરી ઊંચા નંબરે પાસ થાય છે. કલાસમાંથી ઊઠ્યા પછી માસ્તરની શિખામણ ભૂલી ગયા. પાસ થવાની, મહેનત કરવાની શિખામણ ભૂલી ગયા ને ગાઠીયા મલ્યા એટલે રમતમાં પડી ગયા. તેવા છેાકરા નાપાસ થાય તેમાં નવાઈ શી ? તેને લાયક અભ્યાસ ન કર્યાં. નાપાસ થવાની ઇચ્છા ન છતાં ૨૨
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy