SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧ લું પૌદ ગલિક બુદ્ધિએ આવે. જે કોઈ આવે છે તે ઓગણોતેર કોડાકોડિ મેહનીય કર્મની સ્થિતિ તેડલો જ આવે છે. અભવ્ય જીવો ગ્રંથી સુધી અનંતી વખત આવી જાય. જે કોઈ જિનેશ્વર મહારાજના શાસ્ત્રમાં કહેલી નવકારથી માંડી ઉત્કૃષ્ટ ચારિત્રની ક્રિયા કરનાર હોય તે મેહનીયની ઓગણોતેર કોડાકોડિ ખપાવનાર છે. તેટલી સ્થિતિને ખપાવીને આવ્યો છે. આગળ ઘટાડો વધારો તે સ્થિતિમાં થાય પણ તે વખતે તેટલી સ્થિતિ ખપાવીને આવ્યા છે. અન્ય ઈચ્છાએ કે માની ઈચ્છાએ જીવ લુકમ થાય તે આ ધર્મની પ્રાપ્તિથી જ બને આ ઉપરથી એ વાત દઢ સમજો કે પ્રથમ જીનેશ્વર તથા ગણધર ભગવંતના વચન ઉપર ભરોસો આવ્યો હોય, મોક્ષ મેળવવા માટે તે જીવી તલપાપડ થઈ ગયો હોય. અનંતી વખત મા સાંભલ્યો છે. જાયો છે, નિરૂપણ કર્યું છે છતાં હજા આ જીવને તેને રસ આવ્યો નથી. દુધપાકના કડાઈમાં કડછે સેંકડો વખત ફરે છતાં તેને રસ કડછાને આવતો નથી. કડછો તે માત્ર પીરસનાર, તે તે પઈભાર પણ સ્વાદ લેનારો નહિ. બીજા ખાનાર હજારો સંતોષ પામે. પણ કડછાને રતીભાર સ્વાદ નહિ. તેમ આ જીવ કડછાની જેમ કાયામાંથી બધાને પીરસે. પોતે સ્વાદ ન લે. અનંતીવખત આ જીવ કડછા જેવો રહ્યો. પણ હજુ આપણે કડછામાંથી નીકલ્યા છીએ કે નહિ તે ધ્યાનમાં લ્યો. ધર્મની સાનુકૂળ સામગ્રીમાં ધર્મ નહીં કરો, પછી પ્રતિકૂળતામાં તે શાના જ કરો ? જીવ-અજીવ, પુન્ય, પાપ, આાવ સંવર તેને કોણ નથી જાણતું? ઘણે ભાગે બધા જાણે છે. તે છતાં વખાણમાંથી ઉઠો ને પ્રભાવનામાં પતાસું મળે તે મેમાં મૂકો. તેને જે પ્રભાવ ગર ચમત્કાર દેખો તેવો ચમત્કાર અહીં થાય છે? પતાસું ખાતી વખત રસનાને આ વિષય છે. સંસારમાં ડૂબાડી નાંખનાર છે. ફુરિય ક્ષય દવય ઇંદ્રિય કષાય અદ્યત સેંકડો વખત બોલ્યા પણ વિષય ભોગવતી વખતે તેના આશ્રવના જ્ઞાન સંબંધી આ જીવને લેવાદેવા નથી. તમે વિચાર કરો કે એક દહાડો પણ આ જીવને આશ્રવ સંવરને ભાસ થયો? શવને અંગે અનિષ્ટતાના વિચારો અને સંવરને અંગે ઈષ્ટતાના વિચારો ન આવે ત્યાં સુધી નવતત્વની ગાથાઓ બોલી જાવ તેમાં કાંઈ વળે નહિ. તે તે કડછો ફરે તેની પેઠે નકામું છે. રતીભરને સ્વાદ લેવા નથી. નહિતર ઇંદ્રિયના વિષયો તથા મિથ્યાત્વ ને અવિરતિ વખતે આ જીવથી ઝબકાતું નથી અને બોલાય છે તે તે માત્ર કડછા ફરે છે તેની જેમજ નકામું માને. વર્તમાનકાળમાં જીવ આ કડછાની પેઠે ફરી રહ્યો છે, તે પછી ભૂતકાળમાં કડછા પેઠે ફર્યો હોય તેમાં તો નવાઈ જ શી? અત્યારે સાનુકૂળ સામગ્રીમાં આ દશા તે સામગ્રી વગરના ભાવમાં શી દશા હશે? આપણે ઝવેરીના ઘર ખાલી બેઠા તેમાં કુંકે રમાય છે. ઝવેરીનું ઘર ઝાલનાર કુંકે રમે તે શાસ્ત્રોક્ત જે તથા પ્રકારને તીર્થકર ગણધર ઉપર રસ ચોંટ જોઈએ તે રસ હજુ વળગ્યો નથી.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy