SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેથી ચિત્ત આવું થાય તે અનંતી વખત આ જીવ તાળી દઈ છૂટો પડયો છે એમ અનંતીવાર ભેળ થયો ને છૂટો પડ્યો ને ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ જેવી જ હાલત રહી છતાં આ જીવ ચેતતું નથી, કહો કે કાળજું જ ઠેકાણે નથી. કાળજું શીયાળીયું ખાઈ ગયું છે. કાળજુ હતું જ કયારે ? એવું બન્યું છે કે એક શિયાળ છે. એટલામાં વાઘ ત્યાં આવી ચડયો, ને ખાઉં ખા કરવા લાગ્યો. શીયાળે દેખ્યું કે વાઘ ખાઈ જશે. તેથી શિયાળે કહયું કે–આટલું નાનું છઉં, મને ખાઈશ તો કાંઈ તારું પેટ નહિ ભરાય, એ કરતાં તેને બીજું ભક્ષ્ય લાવી દઉં- એમ કહી શિયાળ તો નિકળી ગયું. આગળ જતાં ગધેડું ચરી રહયું છે. દુર્બળ શરીરવાળો છે તેથી તે કહેવા લાગ્યો કે : “હું તો દુબળો છે. હા મારા બીજા મામા ને તો ખબર પડે – એમ કહી ગધેડો ભાગી ગયો. પછી વાઘ બારોબાર તડાકો કર્યો. ત્યાં ગધેડાના મામા જેવા બીજા પ્રાણીને જોયું. તેણે કહયું કે ચૂપ રહેજો. બોલશે નહિ. તે પાછો ગધેડા પાસે ગયો. ગધેડા કહયું : કેમ દેખું? કેવો જોરદાર તે હતો? તેમ તમારે થવું જોઈએ. તે વાતથી વાઘને ખોટું લાગ્યું ને તડાકો કર્યો હતો તેમ ન કર્યો. શિયાળે કહયું કે તમને મળવા હાથ લાંબો કર્યો. તે તમે ભાગી કેમ આવ્યા? રીંછે વાઘને મારી નાખ્યો. આપણને વચમાં કાંઈ મળવું જોઈએ, વિશ્વાસઘાત કરી માર્યો છે માટે આપણે પાપી છીએ. માટે ચાલો આપણે સ્નાન કરી પવિત્ર થઈએ. શીયાળ નજીકમાં ખાબોચીયામાં ગયો. પેલે નદીએ દૂર ગયો. ને શીયાળ કાળજાં ખાઈ ગયો. શીયાળને કહે, કાળાં? શીયાળ કહે હતું જ ક્યારે? જો કાળજાં હવે તો તમારો મેમાન થતે ખરો? આ વ્યવહારિક દૃષ્ટાંત ઉપરથી એ સમજવાનું કે આ જીવને અનંત વાર સંસારિક દ્ધિ મળીને ગઈ, ધક્કો મારીને ચાલી ગઈ. પાછા તેને જ વળગીએ ખરા કે? ખરેખર વિચારીએ તે આપણે કાળજા વગરના છીએ. એક બે વખત કોઈ ભરોસો દઈ જાય પછી તેને દેખીએ તે શું કરીએ? કહો કે તેને ભરોસો ન રાખીએ. તેમ અનંતા જન્મ સંસારિક સુખના ભરોસે ગયા. વિષયે ઝેરી બરફી સમાન છે. તીર્થકરોએ તથા ગણધર ભગવતેએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઝેરી બરફી તો કુતરાના કામની. જેમ કુતરો મીઠી બરફી ખાઈ જાય ને પછી ટાંટિયા ઘસે, તેમ આ વિષયો પણ ઝેરી બરફી સમાન છે. ખાતાં પ્રથમ તે મીઠા લાગે પણ પછી ટાંટિયા ઘસીને મરવાનું. સાંસારિક સુખની આવી સ્થિતિને તીર્થકરાદિકોએ જણાવી, છતાં તે આ જીવને લક્ષ્યમાં આવ્યું નહિ. તેનું કારણ એક જ કે હજુ તિર્થંકર મહારાજ ઉપર ભરોસો થયો નથી. બચ્ચાની મરજી બરફી લેવાની હેય પણ માતા ઉપર ભરોસો હેય. માતા તરફ ઢળેલ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy