SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ પ્રવચન ૧૦ મું વાણી અને ગરાશિયાની તરવાર જે ધર્મ એક શેઠને ત્યાં ગરાસિયાની આવડ જાવડ. તેની સાથે લેણદેણ રહ્યા કરતી. ગરાસિયા એક વખતે પરગામ જવાને હશે, ત્યારે ગરાસિયો તરવાર લઈ શેઠને ઘેર આવ્યો. શેઠે પૂછયું–આ શું છે? ગરાસિયાએ કહયું કે, તલવાર છે, આનાથી ચાર ચક્કડ ખાઈ જાય, ધાડપાડુઓ ભાગી જાય, શત્રુ શરમાઈ જાય. તે શેઠે કહયું કે મને એક આપ. ગરાસિયો કહેવા લાગ્યો, સાહેબ હમણાં ગામ જાઉં છું. આવીશ ત્યારે આપીશ. ગામ જઈ આવ્યો. પછી શેઠને તરવાર આપી. એક વખત શેને ગામ જવાનું થયું. શેઠે તરવાર બાંધી. નખેદ ગયું હેય તેમ રજપૂતે દેખ્યું. શેઠ શમશેર સજી સુભટ બન્યા છે પણ ગળું કપાવશે ને નામ મારું વગોવશે. ગરાસિયા બહારવટીયાને વેશ લઈ, પાછળથી જંગલમાં શેઠ સામે આવ્યો. ઊંહ બોલે તો ઓળખાઈ જાય એટલે બુકાની બાંધી છે. પેલાએ બહારવટીયાને લીધે છે. તરવાર મારી પાસે છે ને આવ્યો કેમ? પણ તેને ખબર નહીં હોય કે મારી પાસે તલવાર છે. પણ ગરાસિયાએ ઘોદો માર્યો, મારે નથી. શેઠે મ્યાનમાંથી તરવાર કાઢી. ભૈયપર મૂકી. “તારા બાપને ઘેર કરતી હોય તેમ કર. શેઠજીની શમશેર શું સાધે? એ તે ખેલાવવાવાળો જોઈએ. શમશેર કામ સાથે, પણ ખેલાડી બને ત્યારે. તેમ ત્રણ લોકના નાથ, અનંતા લોકોને મેક્ષ આપનાર, તેમણે આગમ આપણા હાથમાં આપ્યું. મેક્ષની નિસરણીરૂપી મનુષ્યનું શરીર આપણા કાબુમાં છે. અનંત જીવોને ઉન્માર્ગે થી ખસેડી સન્માર્ગે લાવનાર ત્રણ લોકો નાથ આપણો ધણી છે. રજપૂતને શમશેર મળી હતી તેમ શેઠને પણ શમશેર મળી હતી. પણ આપણને તરવાર તારા બાપને ઘેર કરતી હતી તેમ કર, તેના જેવી દશા. દેશમાં ગયા. ભગવાનને કહે છે કે તમે તર્યા અમને તારો. પ્રશ્ન: ભાવના ન ભાવવી? ઉત્તર- પેલાડી બનવું અર્થાત જિનેશ્વર મહારાજની આગળ જે પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ તે ભૂલેલા ભાનને ઠેકાણે લાવવા માટે. પણ સાધ્ય સિદ્ધ કરવા માટે ખેલાડી બનીએ ત્યારે કાર્યની સિદ્ધિ થાય. ખેલાડીપણું કર્યા વગર તરવાર બાપાના ઘરનું કામ નહીં કરે, છોકરાની વહુ પાસે કામ કરાવવામાં સાસુ સસરા પાસે સત્તા જોઈશે, કામ કરનારી મળી છે પણ સત્તા જોઈએ નહીંતર મચે બેસવા તૈયાર છે. હાથે પગે મેંદી મૂકવા તૈયાર છે. મળેલા સાધનને શેઠની શમશેર તરીકે રાખો તે સાધ્યસિદ્ધિ નહીં થાય. પણ રજપૂત રણે ચડી રમે તે તરવાર કામ કરે. તેમ આત્મા રણાંગણમાં પડે તે વખતે,
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy