SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો પ્રત્યે તુચ્છતા-ઉપેક્ષા રાખે તો ઘર્ષણ થવા સંભવ છે. જ્યારે પોતાથી વધુ સારી દશા જેવી છે તેનાં પ્રત્યે દ્વેષભાવ થઈ આવે છે, ત્યારે પણ ઘર્ષણ થાય છે, આર્તધ્યાન થાય છે, પરિણામે નવા કર્મબંધ થાય છે. આ વાત લક્ષમાં રાખીને પોતાથી વધુ સારી દશાવાન પ્રત્યે દ્વેષ ન થાય તે માટે પ્રમોદભાવ રાખવાનું જરૂરી છે, જેથી ઘર્ષણથી બચી જવાય છે. કર્મબંધથી બચી જવાય છે. આ ગુણ વિકસાવવો જરૂરી છે જે અભ્યાસથી અને સત્સંગથી સાધ્ય જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વાત લક્ષમાં રાખવાની છે. માત્ર શાતાઅશાતાની ભિન્નતા નહીં, પરંતુ કોઈ બળમાં, બુદ્ધિમાં, વિદ્વતામાં, સંપત્તિમાં કે ધર્મધ્યાનમાં પોતાથી વધુ આગળ વધેલા જોવામાં-જાણવામાં આવે ત્યારે તેમનાં પ્રત્યે ઇર્ષા ન કરતા પ્રમોદભાવ-ખુશીનો ભાવ થવો તે પણ સદાચારનું અંગ છે. ઇર્ષા-દ્વેષ કરવાથી પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી જ, છતાં કર્મબંધનું કારણ બને છે તેનો લાભ શું ? વળી જો ઇર્ષા થઈ આવશે તો તે માનવ, સ્વવિકાસનો પોતાનો માર્ગ પોતે જ રૂંધવાનું કરે છે, જે મોટી હાનિ છે. આગળ વધેલા પ્રત્યે પ્રમોદભાવ લાવી તેમની પાસેથી તેની વિશેષતાનો લાભ લઈ સ્વગુણોની વૃદ્ધિ કરીને પોતાનું જીવન વધુ સ્વસ્થ બનાવી શકે છે. કોઈની ખોટી પ્રસંશા તે પ્રમોદભાવ નથી, પરંતુ જે ખરેખર પ્રસંશાને પાત્ર છે તેનો સહજ સ્વિકાર અને પ્રસંગ આવ્યે અનુમોદના કરવી તે પ્રમોદભાવ છે. ભગવાન મહાવીરનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમ મહાજ્ઞાની છતાં અતિસરળ અને નીરાભિમાની હતા. એક સમયે તેમને પાર્શ્વનાથ પ્રભુનાં અંતેવાસી શ્રી કેશીસ્વામી મળે છે, કેશીસ્વામી ચાર વ્રતધારી મુનિદશામાં હતા. જ્યારે શ્રી ગૌતમ સ્વામી પાંચ વ્રતધારી મુનિ હતા. બન્ને વચ્ચે ધર્મચર્ચા થાય છે. કેશીસ્વામી ઉંમરમાં મોટા અને દીક્ષામાં પણ આગળ હતા. પરંતુ ધર્મચર્ચામાં ગૌતમસ્વામીની દશા ઘણી ઉંચી જણાતા, પ્રમોદભાવે તેઓ ની&િઇટને પ્રશાબીજ 40 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy