SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર અનુયોગ પૈકી સૂક્ષ્મ અને રહસ્યમય દ્રવ્યાનુયોગ છે. જેમાં સુક્ષ્મ તત્ત્વ વિચાર છે. જેને તે પરિણમે તે સંયમની આરાધનાં સહેજે કરે છે. આવા સાધક ત્વરાએ મોક્ષપદનાં અધિકારી બને છે. “અમુક નિયમમાં ન્યાયસંપન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે.” ગૃહસ્થદશામાં જેને ધર્મ રુચિ થઈ છે, તેણે સર્વપ્રથમ આ નિયમ ન્યાયસંપન્ન આજીવિકાનો નિયમ લેવાનું જરૂરી છે. આ સદાચારનું મુખ્ય અંગ છે. સદાચાર ધર્મમાર્ગનું પ્રથમ સોપાન છે. તે સમજવું ઘટે છે. “આ દુષમકાળમાં સત્સમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે, ત્યાં પરમ-સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી છાજે ?” પંચમકાળ, દુષમકાળ, કળિકાળ એમ કેટલાંક પ્રકારે આ કાળની ઓળખ જ્ઞાનીઓ આપે છે અને બધાં આ કાળને દુષમ કહે છે - કઠણ કહે છે. આ કાળમાં જીવ ધર્મધ્યાનની પ્રવૃત્તિ પણ મુશ્કેલીથી કરી શકે છે. આવા કાળમાં કોઈ પૂર્વનો આરાધક જીવ મોક્ષમાર્ગ આરાધવાનું કરે તો તેને પરમ સત્સંગ જરૂરી છતા યોગ મળવો કઠણ છે. સત્સંગ ચાર પ્રકારે સમજાય છે. (૧) ધર્મ ગ્રંથોનું વાંચન-વિચાર ગૃહસ્થ દશામાં હોય તે પહેલો સાધારણ સત્સંગ છે. (૨) જિજ્ઞાસુ-સાધકને આત્મજ્ઞાની નિગ્રંથની નિશ્રામાં તત્ત્વચર્ચા થાય તે અસાધારણ સત્સંગ. (૩) વીતરાગી તીર્થકર-કેવળીનાં યોગે તત્ત્વવિચાર થાય તે પરમ સત્સંગ અને હજી નિજઆત્મસ્વરૂપમાં લયલીન થવાય તે સર્વોત્કૃષ્ટ સત્સંગ કહી શકાય. PLACAVA vaulx • 250 B&&A:&
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy