SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ “આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે.” આત્મકલ્યાણના હેતુરૂપ સંગ તે સત્સંગ છે. તેનું સેવન તો મુમુક્ષુનો સોશ્વાસ છે. મુમુક્ષતાનો પ્રાણ છે. સત્સંગ વિના મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન - પ્રાપ્તિ કયા પ્રકારે થવી ઘટે ? આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશઅહંકાર) છે.” ધર્મશાસ્ત્રો જીવાત્માને આત્મકલ્યાણનો હેતુ છે, શાસ્ત્રોનો ઉપયોગ એ અર્થે જ થવો યોગ્ય છે. પરંતુ ઘણાં જીવો થોડું ઘણું શાસ્ત્રવાંચન કરી પોતે અનુસરવાનું છોડીને અન્યને બોધ આપવાનું કરતાં જોવામાં આવે છે, આ શાસ્ત્રીય અભિનિવેશ અહંભાવને પોષે છે. સર્વ પ્રકારનાં ભયને રહેવાનાં સ્થાનક એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.” જ્ઞાનીઓ સંસારને ભયરૂપ કહે છે. જે વિચારતાં યોગ્ય લાગે છે. કોઈ જીવાત્મા ભયરહિત જોવા મળતો નથી. રોગનો, જરાનો, મૃત્યુનો, મુખ્ય ભય ઉપરાંત રૂપ, ધન, સ્વજનો, સત્તા, શરીરબળ વગેરે બધાં જ અનિત્ય હોવાથી તેનાં વિયોગનો ભય પણ રહે જ છે. જીવને જો આ વાત બરાબર સમજાય તો નિર્ભયતા માત્ર વૈરાગ્ય દશામાં હોવાનું પ્રતીત થશે. પરપદાર્થ પ્રત્યેથી રાગ છૂટી જાય તે વૈરાગ્ય છે. “અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે. એમાં સંશય નથી.” ચારે ગતિમાં ભટકતો જીવાત્મા ક્યારેય પણ સંગરહિત થતો નથી. દેહનો સંગ, પરિવારનો સંગ, પદાર્થોનો સંગ નિરંતર રહ્યા કરે છે. છતાં તત્ત્વદૃષ્ટિએ પ્રત્યેક જીવ અસંગ છે. પણ તેનું ભાન જીવને નથી. આ અભાન ની&િઇટને પ્રશાબીજ • 233 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy