SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી યોગ્યતા નથી. માનવજીવો સ્વ-૫૨નો ભેદ કરવાની બુદ્ધિ ધરાવે છે. પરંતુ અજ્ઞાનનો આશ્રય તજે નહીં તો સમજાતું નથી. પોતે તરે અને બીજાને તારે તે તીર્થંકરાદિ પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે તે અભવ્ય કે દુર્વ્યવ્ય જીવ.” સંસાર પરિભ્રમણથી મુક્ત થવું અને અન્યજીવોને મુક્ત થવાનો બોધ આપે, સહાયક બને તે અવસ્થા તીર્થંકરની હોય છે. પોતે તરે પણ અન્ય જીવોને તારવાનું ઘણું કરીને થઈ શકે નહીં તે દશા કેવળી ભગવંતોની હોય છે, જો કે સર્વજીવોની મુક્તિની ભાવના તો તેમને પણ હોય જ. પરંતુ કહેવાતા અજ્ઞાની ગુરુ તો ડુબે અને ડુબાડે તેવા છે. “કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ ૫૨૫દાર્થનાં વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે.” જીવાત્માને પોતાના નિજસ્વરૂપ સિવાય બધુજ પ૨પદાર્થ છે. આવા ૫૨૫દાર્થની જીવ ઇચ્છા કરે અને વિયોગ થતા ચિંતા કરે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, જે દુર્ધ્યાન છે, પરિભ્રમણનો હેતુ છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક જ્ઞાની-આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીમાં આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.” મોક્ષનાં કારણરૂપ ધર્મપ્રવૃત્તિ આત્મજ્ઞાની કરે છે અથવા આવા આત્મજ્ઞાનીનાં નિષ્ઠાવાન આશ્રિત-સાધકો જ કરે છે. બાકી તો ભ્રાંતિગત, પરંપરાગત કહેવાતો ધર્મ સૌ કોઈ સેવતા જોવામાં આવે છે પણ તે મોક્ષનું કારણ બનતું નથી. પુણ્યનું હોઈ શકે. “મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે ?’’ જગત મિથ્યા બ્રહ્મ સત્ય આવું કથન મહાત્માં શંકરાચાર્યજીનું છે, તે સૌ જાણે છે. જીવને જગદીશ પરમાત્મા) થવું છે તેમાં જો તેને મોટો અવરોધ હોય તો તે જગતનો છે. જોકે જગત પ્રત્યે જીવ આસક્તિ ન રાખે અને ØKBK8 પ્રજ્ઞાબીજ * 226 paravano
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy