SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ ચિંતન કરતા ભાસે છે કે જ્ઞાનીનો માર્ગ તો ખોટો ન હોય પણ આરાધનામાં કોઈ ખામી, કચાસ હોઈ શકે અથવા જેનો બોધ ગ્રહણ કર્યો તે બોધ હિતકારી નહીં હોય. પણ આમ કેમ બને ? ત્યારે બે કારણ લક્ષમાં આવે છે કાં તો અજ્ઞાની ગુરુનો બોધ ગ્રહણ થયો હશે અથવા સદ્દગુરુનો સદ્દબોધ સ્વચ્છેદે ગ્રહણ કર્યો હોય તો આમ બને. કુળગુરુ કે બાહ્ય વેશચિતથી આકર્ષાયને ગમે તેવા કહેવારૂપ ગુરને સદૂગર માની પ્રવર્તન કર્યું હોય તેમ બને. ક્યારેક વળી એમ પણ લાગે કે મારું નશીબ જ વાંકું છે, જેથી મારી ક્રિયા-પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. આમ અનેક વિચારોથી ઘેરાયાથી સમાધાન મળતું નથી. મન શાંત થતું નથી. ઉતાપ વધતો જાય છે. શું કરવું, શું ન કરવું તે કંઈ સુઝતું નથી. અનેક વિકલ્પો ઉઠે છે, વળી સમાય પણ જાય છે. પરંતુ યથાર્થ સમાધાન મળતું નથી. આમ દીર્ઘકાળ પર્યત ઘણાં વિચારો કરીને હારી-થાકીને સંકલ્પ થાય છે કે “એક સત્પુરુષ શોધીને તેનાં ચરણમાં સર્વભાવ અર્પણ કરવા.” પ્રભુ, આ વાત વિચારતા વિકલ્પ ઉઠે છે કે સત્પુરુષ ક્યાં મળે ? તેને કેમ ઓળખવા ? બહારથી લગભગ બધાં જ સરખા લાગે છે કેમ કે સૌ શાસ્ત્રોને આગળ ધરીને જ વાત કરે છે, ત્યારે ભેદ કેમ જાણવો ? પ્રભુજી આ સમયે મને આપની બોધેલી ગાથા સ્મરણમાં આવે છે. “આત્મજ્ઞાન, સમદર્શિતા; વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમકૃત, સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” આ ગાથા મારા ચિત્તમાં પ્રકાશ કરે છે કે શાસ્ત્રજ્ઞાની ભલે શાસ્ત્રોની ઊંચી વાતો કરતા હોય તો પણ આત્મજ્ઞાની ન હોય તો તેમની વાતમાં શ્રદ્ધા. કરતા શું વળે ? વળી જે ભક્તો ગુરુનો જય-જયકાર કરે, પ્રશંસા કરે, ભક્તિ કરે તેનાં પ્રત્યે સદ્ભાવ રાખે અને બીજાને તુચ્છ ગણે, તે સદ્દગુરુ ન હોય, પણ બધાં જ પ્રત્યે સમભાવી હોય તો તેનું સમદર્શીતાનું લક્ષણ જણાઈ આવે. કર્મફળ તો દરેક જીવાત્મા સમયે-સમયે વેદે છે તે વાત પ્રત્યક્ષ છે, પણ ની&િઇટને પ્રશાબીજ •19 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy