SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવા માટેની કોઈ તૃષ્ણા ન હોય, કે મરણના યોગે ક્ષોભ ન હોય, તે સાધક મોક્ષમાર્ગનો મહાપાત્ર જીવાત્મા છે તેમ કહે છે. સમસ્ત સંસાર મોહનાં કારણે છે, પરંતુ ઉપયોગ બહાર હોવાથી સંસારનો યોગ છે, જો ઉપયોગ અંતર્મુખ કરી નિજસ્વરૂપ પ્રત્યે લક્ષ કેન્દ્રીત કરે તો સંસાર એજ ક્ષણે લય પામે છે. પોતે મહાપદની-પરમપદની અભિલાષા વ્યક્ત કરી છે અને તે માટે રાત-દિવસ કેવળ એ એક જ લક્ષને અર્થે સ્થિતિ કરતા સુધામય-અમૃત સમાન પરમ શાંતિની પ્રાપ્તિ કરવાની જાણે કે દૃઢ પ્રતિજ્ઞા કરે છે. અદ્દભુત દશાનું આ દર્શન છે. સવંત ૧૯૫૭ ચૈત્ર વદ પાંચમનો દિવસ જીવનનો આખરી દિવસ આવ્યો છે, સવારે સાડા આઠ-નવની વચ્ચે આખરી શબ્દો ઉચારતા કહ્યું : હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” પરમ આશ્ચર્યરૂપ આ વચનો જણાય છે, કેમ કે નિશદિન જેનો ઉપયોગ આત્મરમણતામાં હતો તેણે. આત્મસ્વરૂપમાં લીન થવાનું બાકી ન હોય, એ તો સ્વરૂપમાં જ હતા તો આ વાણી પ્રયોગ કેમ થયો? જરા સૂક્ષ્મતાએ વિચારતા લાગી આવે છે કે જગતનાં જીવોને તેમનો આ આખરી આદેશ છે – જે જીવોને મુક્ત થવાનો નિશ્ચય છે, તેમણે સ્વરૂપમાં લીન થવું એ જ માત્ર ઉપાય છે તેમ સુચવે છે, ધર્મને નામે ભલે, ગમે તેટલાં ક્રિયાકાંડ કે વ્રત-તપ થયા હોય, પણ કરવા જેવું એકજ અને અનિવાર્ય કાર્ય તે સ્વરૂપમાં સ્થિતિ કરવી તે છે, તેવો તેમનો આ મહામુલો આદેશ છે, તેમ વિનમ્રભાવે સમજાય છે. જ્ઞાની દ્રષ્ટ, ની&િઇટને પ્રશાબીજ • 182 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy