SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સંસાર, દેહ, પદાર્થો, પરિગ્રહ વગેરે સંયોગી સંબંધો પ્રત્યે વૈરાગ્ય પામીને તે સર્વનો ત્યાગ કરે તો તેનાં પરિણામે તેનો બીજો દોષ (ચારિત્રમોહ ટળી શકે છે. ટૂંકમાં સમજવાનું કે જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ ધર્મ છે. આમ થવા માટે સાક્ષીભાવમાં (જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં) રહેવું ઘટે છે. ૭. ક્રોધ કર્યાથી કર્મ બંધ થાય છે, પણ ક્ષમાં રાખવાથી બંધ થતો નથી. તે સૌના અનુભવની વાત છે. (ક્રોધ એ દ્વેષનું પરિણામ છે.) ૮. લોભ આદિ કષાયો પણ – સંતોષ, સરળતા, લઘુતા જેવા ગુણો ધારણ કરવાથી જતા રહે છે. આ જીવની યોગ્યતા છે. ૯. મતમતાંતરમાં પડવું નહીં – દૂર થઈ જવું. આગ્રહ રાખવો નહીં, વિકલ્પો કરવા નહીં, તે રીતે જાતિ, વેષ, ચિન્હ વગેરે પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો પરંતુ સત્યમાર્ગ ગ્રહણ કરતા રહેવું. ૧૦. સાધકે પોતાની યોગ્યતા વધારવા ઉપર લક્ષ કેન્દ્રીત કરવું અનિવાર્ય છે. જેમાં ખાસ કષાયોને શમાવવા અને મોક્ષની અભિલાષા રાખવી ઉપરાંત સ્વ-પરની દયા સેવવી. આ સજીજ્ઞાસુ જીવની દશા છે, સમક્તિનું કારણ છે. ૧૧. જીવની યોગ્યતા આવ્ય, સદ્દગુરુનો યોગ સહજ થવો સંભવે છે અને સદ્દગુરુનો બોધ પરિણમવાથી સમક્તિ પામીને અંતર્મુખ થાય છે, સ્વરૂપમાં સ્થિર થવા પુરુષાર્થ કરે છે, મત, દર્શન વગેરેનો આગ્રહ છોડી સદ્દગુરુની આજ્ઞામાં રહે છે. સમક્તિ શુદ્ધ થાય છે. સાધકને આટલી ભૂમિકા થયેથી નિસ્વરૂપનો, સ્વભાવનો, લક્ષ, અનુભવ અને પ્રતીતિ થાય છે જે સમક્તિનું સ્વરૂપ પારમાર્થિક પ્રકારનું છે. ક્ષાયિક દશારૂપ આ સમક્તિ થાય છે. ૧૩. આટલી ઊંચી દશા થઈ આવતા સ્વભાવ સમાધિરૂપ ચારિત્ર દશામાં ૧૨. ની&િઇટને પ્રશાબીજ • 169 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy