SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કોક દિવસ લાકડું હાથમાં આવી જાય. ક્યાંક કોઈક દિવસ કોઈનો સહારો મળી જાય. પણ બૂડી જાય તો પછી શું થાય ? બહુ ભયંકર શબ્દ છે – ‘બૂડવું.’ બહુ ભયંકર ફલશ્રુતિ છે. આ વિનયમાર્ગનો ગેરલાભ અસદ્ગુની આ પ્રકારે શ્રદ્ધા કરવી કે અસદ્ગુરુએ આ પ્રકારે શ્રદ્ધા કરાવવી આ બંને ખોટું છે. એટલે કહ્યું છે કે જીવને સંસાર પરિભ્રમણના જે જે કારણો છે તેમાં મુખ્ય કારણ પોતે જે જ્ઞાન માટે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવો.’ કૃપાળુદેવના એક-એક શબ્દો હૃદયમાં ચોંટ આપી જાય એવા છે. પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી સમજે કે પોતાનો મત-મતાંતરનો માર્ગ છે. આનાથી કલ્યાણ થાય નહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે. એટલે પ્રગટમાં તે માર્ગની રક્ષા કરે. મારો છે માટે મમત્વનો પ્રશ્ન બનાવી દે. માનનો પ્રશ્ન બનાવી દે, ત્યાં મારાં સગાં છે - વેવાઈ છે - આ આયોજન તો મારે કરવાં જ પડશે. જુઓ ! અલૌકિકની અંદર લૌકિકના ત્રાજવાં-તોલાં દાખલ કરી દે. એના કાટલાપોતાના બેરોમિટર દાખલ કરી દે. પ્રગટમાં રક્ષા કરે. હૃદયમાં ચવિચળ છતાં – પોતે હ્રદયમાં ચળવિચળ છે. સમજે છે કે આ મુક્તિનો માર્ગ નથી. સંસારનો માર્ગ છે. આમાં તો કષાયને પોષણ મળે છે. વિષયને પોષણ મળે છે. છતાં પોતાના શ્રદ્ધાળુઓને ‘આ માર્ગ યથાયોગ્ય જ છે.’ એમ ઉપદેશવું’ એ પરિભ્રમણનું સૌથી મોટું કા૨ણ છે. મહા મોહનીય કર્મથી બુડે ભવજળ માંહી આ માર્ગ તો અદ્ભુત છે. પણ માર્ગનો ગેરલાભ લેનારાને ફ્લશ્રુતી પણ વિકટ પ્રાપ્ત થાય છે. ભગવાન ! તમે આવી અર્થ ગંભી૨ વાત કરો તે કોણ સમજે ? આ કોને ખ્યાલ આવે ! તમે સદ્ગુરુનો ઉપકાર કર્યો, આવો વિનય માર્ગ કર્યો કે ભગવાન પણ ગુરુનો વિનય કરે. તો આ બધું કોણ સમજશે પ્રભુ ? ‘આત્મસિદ્ધિ’ની અંદર જ એક-એક વાત મુકે અને ભગવાન એમાં જ બધા ખુલાસા આપે. હે ભાઈ ! પ્રત્યક્ષ સદ્ગુરુ જિનેશ્વર કરતાં ઉપકારી એટલા માટે કે જિનેશ્વરનું સ્વરૂપ કોણ સમજાવશે ? આપણને 1 જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા વિના આપણે મુક્તિને કેવી રીતે પામી શકીશું ! આપણે જિન થયું છે. આત્માને મુક્ત કરવો છે. જગતના સૌ જીવોને જિન થવુંછે. માટે જિનને કોણ ઓળખાવે ? સિદ્ધ થવું છે. તો સિદ્ધને ઓળખાવનાર અરિહંતને પહેલાં નમસ્કાર કરો પ્રભુ ! નહિ તો સિદ્ધ ઓળખાશે નહીં. સિદ્ધને ઓળખ્યા વગર આપણે સ્વરૂપ કેમ પામશું ? અને આ માર્ગ કેવી રીતે એમની પાસેથી પમાય ? તો કહે વિનયથી પમાય. અને માર્ગ પામ્યા પછી પન્ન વિનયનો ભાવ ચાલુ રહે. આ વાત કોણ સમજશે ? હોય મુમુક્ષુ વ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. (૨૨) જે મોક્ષાર્થીજીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની શ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. મુમુક્ષુ, જીવ આ વાત સમજી જશે ભાઈ ! આ પરમાર્થના માર્ગમાં જીવ તો બે પ્રકારનાં છે. એક - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 89
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy